SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪હૂ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતાર –હવે દેવોનું આહાર તથા ઉચ્છવાસ કાલમાન કહે છે. પ્રથમ દશ હજાર વષયુષી દેવોને વિષે કહે છે. दसवाससहस्साइं, जहन्नमाउं धरति जे देवा । तेसिं चउत्थाहारो, सत्तहिं थोवेहिं ऊसासो ॥१७८ ॥ સંસ્કૃત છાયાदशवर्षसहस्त्राणि, जघन्यमायुर्धरन्ति ये देवाः । तेषां चतुर्थाहारो, सप्तभिः स्तोकैश्वासः ॥१७८।। | શબ્દાર્થ— વસવાસસહસ્સારૂં દશ હજાર વર્ષનું વસ્થા હારી ચોથ (ભક્ત) પછી આહાર નન્નજઘન્ય સત્તહિં સાત માહ આયુષ્ય થોવેકિસ્સોકે ઘાંતિધરે છે ૩સાસો ઉચ્છવાસ તેસિંખ્તઓને થાર્થ વિશેષાર્થવતું. ૧૭૮. વિશેષાર્થ– ગ્રન્થકાર ચારે નિકાયના દેવોના આહાર તથા ઉચ્છવાસની અંતરમર્યાદાને કહે છે. શંકા–અહીં શંકા થાય કે–શ્વાસોચ્છવાસમાન ન કહેતાં માત્ર ૩á' માન કહે છે એવો શબ્દપ્રયોગ કેમ કર્યો ? સમાધાન– સમાધાનમાં સમજવાનું કે–નિઃશ્વાસ તો ઉચ્છવાસ અંતર્ગત આવી જ જવાનો છે, કારણકે નિઃશ્વાસ થયા વિના ઉચ્છવાસનું ગ્રહણ હોતું જ નથી. બીજું મહત્તા–મુખ્યતાએ ઉચ્છવાસની જ હોય છે, નિઃશ્વાસની નહીં જ. પ્રથમ આહારમયદાને કહેતાં જણાવે છે કે-દશ હજાર વર્ષના જઘન્ય આયુષ્યને ધારણ કરનારા જે (ભવનપતિ) દેવો તેઓ ચતુર્થ ભક્ત (તે એક અહોરાત્તવાચક ગણાય છે, તેથી) એકાંતરે આહારને ગ્રહણ કરે છે. તેઓ આપણી જેમ કવલાહારી ન હોવાથી આહારનો અભિલાષ થતાં જ ઉપસ્થિત થયેલી ઇચ્છાને અનુકૂલ, મનોજ્ઞ–સર્વેન્દ્રિયોને આફ્લાદક એવા આહારનાં પુદ્ગલોનું પરિણમન શુભકમનુભાવથી તેઓને થઈ જાય છે. (જેનું વધુ સ્વરૂપ આગલી ગાથામાં કહેવાશે) અને તૃપ્તિ પામતાં પરમાનન્દને અનુભવે છે. ત્યારબાદ તે સ્વકીડાદિ કાર્યમાં મગ્ન થઈ જાય છે. વળી એ દેવો સાત સ્તોક કાળ પૂર્ણ થયે એક વખત ઉચ્છવાસ લે છે. સ્તોક ક્યારે થાય? તો નીરોગી–સ્વસ્થ–સુખી યુવાવસ્થાને પામેલો પુરુષ સાતવાર શ્વાસોશ્વાસ લઈને જ્યારે મૂકે ત્યારે એક સ્તોકબાલપ્રમાણ થયું કહેવાય. એવા સાત સ્તોકે (૪૯ શ્વાસો) આ * જિનભદ્દીયા સંગ્રહણીમાં ભવનપતિ તથા વ્યન્તર માટે સ્વતંત્ર ગાથા નથી કહી, જેથી તેની ૨૧૫મી ગાથામાં ટીકાકારને ઉપરની હકીકત જણાવવી પડી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy