SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह . ત્રણ ક્ષેત્રો સરખા પ્રમાણવાળાં અને વ્યવસ્થાવાળાં છે. અહીં એટલું સમજવું કે દક્ષિણોત્તરનાં સમાન વ્યવસ્થાવાળાં હૈરવંત અને હૈમવંત એ બે ક્ષેત્રો યુગલિક મનુષ્ય તિર્યંચોનાં છે, અને એમાં રહેનારા યુગલિક મનુષ્યોનું શરીરપ્રમાણ ૧ ગાઉ, આયુષ્ય ૧ પલ્યોપમ એટલે ત્રીજા આરા સરખું હોય છે. તેમને એકાંતરે આમળા જેટલા આહારની ઇચ્છા થાય છે. ત્યાં સંતાનની પરિપાલના ૭૯ દિવસની હોય છે. આ પ્રમાણે અપત્યપાલના કર્યા બાદ તે યુગલિકો સ્વતંત્રવિહારી તેમજ ભોગને સમર્થ થાય છે. પછીથી તેઓનું પાલન કરનારા માતા–પિતાઓ અલ્પ મમત્વ ભાવવાળા હોવાથી તે અપત્યો ક્યાં રહે છે? કેમ વર્તે છે? તે સંબંધી ચિંતા કરતા નથી. આ પ્રમાણે રચન્દ્ર અને દરિવર્ષ એ બે ક્ષેત્રોમાં યુગલિકોનું શરીરમાન ૨ ગાઉ, આયુષ્ય ૨ પલ્યોપમ, બે દિવસને આંતરે બોર જેટલા આહારની ઇચ્છા થાય અને ૬૪ દિવસ સંતાનની પરિપાલના હોય. દેવગુરુ અને ઉત્તરવું એ બન્ને યુગલિક ક્ષેત્રોમાં યુગલિકોનું શરીરપ્રમાણ ૩ ગાઉ, આયુષ્ય ૩ પલ્યોપમ, આરો પહેલો, ત્રણ દિવસે તુવેરના દાણા જેટલા આહારની ઈચ્છા અને ૪૯ દિવસ સંતાનપાલના સમજવી. * छ महापर्वत तथा द्रहप्रमाण यन्त्र * पर्वतोनां नामो | पर्वतनी | द्रहनुं नाम | द्रहनी दशगुणी | द्रहनो विस्तार | द्रहनी ऊंडाई ऊंचाई प्रमाण दीर्घता | હતો? લઘુ હિમવંત ૧૦) યોજન પદ્મદ્રહ ૧000 યોજન ૫00 યોજન ૧૦ યોજન શિખરી પર્વત પુંડરીક દ્રહ ૧૦૦૦ , ૫00 , મહાહિમવંત પર્વત મહાપદ્મદ્રહ ૨૦00 , રૂકમી પર્વત મહાપુંડરીદ્રહ ૨૦૦૦ , ૧૦૦૦ , નિષધ પર્વત તિગિછિદ્રહ ૪૦૦૦ ૨૦૦૦ ,, નીલવંત પર્વત કેસરી દ્રહ ૪૦૦૦ , , ૨૦૦૦ ,, હવે પર્વતના વિષયમાં એટલું વિશેષ સમજવું કે ભારતની ઉત્તરવર્તી જે હિમવંત અને ઐરાવતના ઉત્તરવર્તી જે શિવરી એ બને પર્વતો પૂર્વ સમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી લાંબા છે. એ પર્વતોના છેલ્લા ભાગે એકેક દિશાના મુખ તરફ પર્વતની બે બે દાઢાઓ છે અને તે રણશિંગડાકારે લવણસમુદ્રમાં ગયેલી છે. એમ બીજી દિશામાં પણ બે દાઢા સ્વદિશામાં લવણસમુદ્રમાં ગયેલી છે. એમ બે પર્વતની બન્ને દિશાની થઈ આઠ દાઢાઓ છે. એકેક દાઢા ઉપર સાત સાત અંતર્ધ્વપ છે, એટલે આઠ દાઢાના મળી પ૬ અંતર્ધ્વપ થાય છે. આ અંતર્ધ્વપમાં યુગલિકો જ રહે છે, તેના શરીરની ઊંચાઈ ૮00 ધનુષ્ય અને આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હોય છે. એકાંતરે આહારની ઇચ્છા તથા ૭૯ દિવસ અપત્યપાલના હોય છે. ૨૧૭, જે ક્ષેત્રોમાં જે જે આરી વર્તતો હોય, તે આરાના યુગલિકોનું સ્વરૂપે પૂર્વે પલ્યોપમ, સાગરોપમના વર્ણન પ્રસંગે કહેલું છે ત્યાંથી તે પ્રમાણે જોઈ લેવું. ૨૧૮. વિશેષ વર્ણન ક્ષેત્રસમાસ તથા નીવવિવાર વૃદદુવૃત્તિથી જોવું. ૧OOO 8િ 8 8 8 8 8 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy