SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ मेरुपर्वतनुं अने अभिषेक शिलाओनुं वर्णन 949 ઊંચી, અષ્ટમીના ચન્દ્રાકાર સરખી, શ્વેતવર્ણીય અર્જુનસુવર્ણની ચાર અભિષેક શિલાઓ વર્તે છે. પ્રત્યેક શિલા વેદિકાસહિત વનવાળી છે. એમાં પૂર્વ દિશામાં ‘પાક્કુ ંવા’, પશ્ચિમ દિશામાં રત્તવના', ઉત્તરમાં ‘અતિવૃત્તવત્તા અને દક્ષિણદિશામાં ‘અતિપા ુ ંવત્તા’ નામની શિલાઓ છે. એમાં પૂર્વ–પશ્ચિમની બે શિલાઓ ઉપર ૫૦૦ ધનુષ દીર્ઘ, ૨૫૦ ધનુષ વિસ્તીર્ણ અને ૪ ધનુષ ઊંચાં એવાં બે બે સિંહાસનો છે, અને ઉત્તર તથા દક્ષિણવર્તી શિલાઓ ઉપર ઉક્ત પ્રમાણવાળું એકેક સિંહાસન છે. એમાં પૂર્વ દિશાની શિલાના બે સિંહાસન ઉપર પૂર્વ મહાવિદેહની ૧૬ વિજયોમાં ઉત્પન્ન થતા જિનેશ્વરદેવોને, અનાદિકાળના તથાવિધ આચારવાળા સૌધર્મ ઇન્દ્ર પ્રભુને પોતાનું અહોભાગ્ય વિચારતાં પંચરૂપ કરી, પંચાભિગમ સાચવી, મેરુપર્વત ઉપર લઈ જાય છે. જ્યાં મહાન કળશાદિ સામગ્રીથી અનેક જાતિના ઠાઠમાઠથી યુક્ત, અનેક દેવદેવીઓથી પિરવરેલો મહાભાગ્યશાળી સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના જ ખોળામાં લે છે, તે વખતે મહાન અભિષેકાદિ ક્રિયાઓ થાય છે, અને તે દ્વારા ભક્તિવંત ઇન્દ્રો, દેવ દેવીઓ “અમને આવો સોનેરી અવસર પ્રાપ્ત થયો, ધન્ય છે અમારા આત્માને કે આજે આવા પરમપવિત્ર ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિનો મહદ્ સુયોગ પ્રાપ્ત થયો.” ઇત્યાદિક અનુમોદનાઓને કરતા અનગલ પુણ્યોપાર્જન કરી કૃતકૃત્ય બને છે. આ જ પ્રમાણે પશ્ચિમ મહાવિદેહની ૧૬ વિજયોમાં ઉત્પન્ન થતા જિનેશ્વરોનો પશ્ચિમ દિશાવર્તી શિલા ઉપર અને દક્ષિળ દિશાની શિલા ઉપરના સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા પ્રભુઓનો તેમજ ઉત્તર દિશાની શિલા ઉપર ઐરવત ક્ષેત્રવર્તી પરમાત્માઓનો જન્માભિષેક થાય છે, આવા જ્યાં મહાનુભાવ ૫રમાત્માઓના જન્માભિષેક જેવાં કલ્યાણક કાર્યો થઈ રહેલાં છે, એવો આ ૨૧૫મન્દર-મેરુ પર્વત સદા અચળ અને જયવંતો વર્તે છે. આ મેરુની દક્ષિણ તરફના નિષધપર્વતમાંથી નીકળેલા નિષધપર્વતના જ સંબંધવાળા બે રાખવંતગિરિ અને ઉત્તર તરફના નીલવંત પર્વતમાંથી નીકળેલા બે ગજદંતિગિર એમ કુલ ચાર ગજદંગિરિઓ છે. તેઓ ગજના દંતૂશળાકારે અથવા રણશીંગડાકારવત્ થતા મેરુ પાસે પહોંચેલા છે, અને તેથી જ મેરુની ઉત્ત૨ના તેમજ દક્ષિણ દિશાના બે બે ગજદંતિગિરઓના છેડાઓ પરસ્પર ભેગા મળવાથી અર્ધચન્દ્રાકાર સરખો આકાર થાય છે. આ બન્ને પર્વતની વચ્ચે મેરુની દક્ષિણ દિશાએ àવરુ નામનું યુગલિક ક્ષેત્ર આવેલું છે, એવી રીતે ઉત્તરવર્તી બે ગજદંતોની વચ્ચે ઉત્તરરુ નામનું ક્ષેત્ર છે. બન્ને ક્ષેત્રોમાં સદાકાળ પ્રારંભના ભાવોયુક્ત પહેલો આરો વર્તે છે, તેમજ ૨૦૦ કંચનિંગર તથા અન્ય પર્વતો, દશ દશ દ્રહો અને નઘાદિકથી યુક્ત છે. એમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબૂદ્રીપના અધિપતિ અનાદત દેવના નિવાસવાળું, જેનાવડે આ જંબુદ્રીપ એવું નામ પ્રસિદ્ધ થયું છે તે શાશ્વત ‘નંવૂવૃક્ષ’ આવેલું છે અને દેવકુરુમાં પણ જંબૂવૃક્ષના સરખું ‘શાભળી' વૃક્ષ આવેલું છે. ૨૧૫. આ પર્વતનો સ્વામી મન્દર’ નામનો દેવ હોવાથી ‘મન્દર’ એવું નામ પડ્યું છે આ નામ શાશ્વત સમજવું. મેરુપર્વતનાં ૧૬ પ્રકારનાં નામો છે, જે નીચે પ્રમાણે— વિવાય 'મન્વરો મે:` સુવર્ણન: સ્વયંપ્રમઃ । ‘મનોરો 'ગિરિનો તોધયશિતોચો ||9|| “लोकमध्यो “लोकनाभिः " सूर्यावर्तोऽस्तसंज्ञितः' १२ । 'ઐવિશાવિસૂર્યાવરખાવત” સર્જન”“ગોત્તમઃ” આ બધાં નામો સાન્વર્થ છે. .१६ Jain Education International For Personal & Private Use Only IIRII www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy