SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ मनुष्यक्षेत्रमा चन्द्र-सूर्य पंक्तिनुं स्वरूप જ્યારે જંબૂદ્વીપનો એક સૂર્ય મેરુના દક્ષિણ ભાગે હોય ત્યારે આ જ સૂર્યની સમશ્રેણીએ દક્ષિણદિશામાં લવણસમુદ્રના બે, ધાતકીખંડના છે, કાલોદધિના ૨૧, અને પુષ્કરાધના ૩૬ એમ એકંદરે છાસઠ સૂર્યો (દક્ષિણદિશામાં) હોય. જ્યારે જંબૂદ્વીપની દક્ષિણદિશામાં ૧ સૂર્ય હોય ત્યારે એક સૂર્ય ઉત્તરદિશામાં હોય, અને પ્રથમ કહ્યા પ્રમાણે લવણસમુદ્રના ૨, ધાતકીખંડના ૬, કાલોદધિના ૨૧, અને પુષ્કરાધના ૩૬ સૂર્યો, બધા મળીને ૬૬ ઉત્તરદિશામાં સમશ્રેણીએ અહીં પણ સમજવા. એ મુજબ ઉત્તર અને દક્ષિણદિશાના મળી ૧૩૨ સૂર્યો થાય. વળી એ જ પ્રમાણે મેરુની પૂર્વપશ્ચિમદિશામાં ૬૬–૬૬ ચન્દ્રપક્તિની વ્યવસ્થા પણ પૂર્વોક્ત રીતિએ બરાબર સમજી લેવી. અહીં એટલો ખ્યાલ રાખવો કે સૂર્યપંક્તિ દક્ષિણોત્તરદિશામાં અને ચન્દ્રપક્તિ પૂર્વપશ્ચિમદિશામાં કહેલી છે તે કાયમ માટે ત્યાં જ રહી પ્રકાશ કરે તેમ ન સમજવું; પરંતુ, અઢીદ્વિીપના ચન્દ્ર-સૂયદિ જ્યોતિષી વિમાનો ચર હોવાથી જ્યારે પંક્તિગત સૂર્યો દક્ષિણોત્તરદિશામાં હોય ત્યારે પંક્તિગત ચન્દ્રો પૂર્વપશ્ચિમદિશામાં હોય અને સૂર્યો ફરતા ફરતા પૂર્વદિશામાં આવે ત્યારે ચંદ્રો ફરતા ફરતા દક્ષિણદિશામાં આવેલા હોય છે. એમ કુલ ૧૩૨ ૧૮ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય રાત્રિ દિવસના વિભાગ કરવાપૂર્વક મનુષ્યક્ષેત્રમાં હંમેશાં પરિભ્રમણ કરે છે. આ પંક્તિમાં રહેલા ચન્દ્ર-સૂર્યો ક્યારેય ક્ષણમાત્ર પણ સ્થિર રહેતા નથી, સતત પરિભ્રમણ કરતા અહોરાત્રને કરે છે, તેમજ સ્વપંક્તિમાંથી કોઈ એક પણ ચન્દ્ર-સૂર્ય આઘોપાછો ખસતો નથી. ૬૬-૬૬ ચન્દ્ર-સૂર્યોની બે બે પંક્તિઓ જ આ મનુષ્યક્ષેત્રમાં મેરુને પ્રદક્ષિણા આપે છે. તે ઉપરાંત એક ચન્દ્રનો જે ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓ જેટલો પરિવાર કહ્યો છે તે મુજબ એકસો ને બત્રીસે ચન્દ્રોનો પોતપોતાનો ઉક્ત પરિવાર પણ પરિભ્રમણ કરે છે, અર્થાત્ ૩૬૯૬ નક્ષત્રવિમાનો, ૧૧૬૧૬ “ગ્રહપરિવાર અને ૮૮૪૦૭000000000000000 કોડાકોડી (ધ્રુવ તારા સિવાય) “તારાનો પરિવાર મનુષ્યક્ષેત્રમાં સદાકાળ મેરુને પ્રદક્ષિણાવર્ત મંડલવડે પરિભ્રમણ કરે છે તથા સ્વપ્રકાશ્યક્ષેત્રમાં પ્રકાશ કરે છે. અહીં એટલું વિશેષ સમજવું કે, ચન્દ્ર-સૂર્ય અને ગ્રહો પૃથક પૃથક મંડલે પરિભ્રમણ કરનાર હોવાથી અનવસ્થિત યોગે પરિભ્રમણ કરે છે. જ્યારે નક્ષત્રો અને તારાઓ સ્વસ્વમંડલમાં જ પરિભ્રમણ કરનારા હોવાથી તેઓનું પરિભ્રમણ અવસ્થિત યોગે છે. [0] | રૂતિ વ-સૂર્યપત્તિસ્વરૂપમ્ | ૧૮૬. “વીસ વંશય વત્તી વેવ સૂયાન સ | સય? માગુલનો વતિ માનેંતા || [સૂ. .] ૧૮૭. સફારીર્તિ ૪ નહીં મઠ્ઠાવી ૪ ઈંતિ નવઉત્તા / પુ સરી પરિવારો પત્તો તારીખ સુચ્છામિ llll छावट्ठीं सहस्साइं णब चेव सयाइ पंच सतराई । एगससी परिवारो तारागण कोडिकोडीणं ||२|| [सू. प्र.] ૧૮૮. एक्कारस य सहस्सा छप्पिय सोला महग्गहाणं तु | छच्चसया छण्णउया णक्खत्ता तिण्णि य सहस्सा ||१|| ૧૮૯. સટ્ટાણી સવસહસ્સારું મgયોનિ | સત્ત ૨ સંય કપૂMT તારીખોડિફોડvi | [[. .] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy