SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ भवनोनुं स्वरूप अने वर्णन ચૌદરાજલોકને વિષે ઊર્ધ્વલોક, તિષ્ણુલોક અને અધોલોક એમ ત્રણ લોક આવેલા છે. ઊર્ધ્વલોકમાં દેવ-નિવાસ વિશેષ છે, તિથ્યલોકમાં મનુષ્ય તિર્યંચનો નિવાસ વિશેષ છે અને અધોલોકને વિષે નારક જીવો જેમાં રહેલા છે–તે રત્નપ્રભાદિ નરક-પૃથ્વીઓ આવેલી છે. તેમાં પહેલી રત્નપ્રભાનારકના એક લાખ એંશી હજાર (૧,૮0000) યોજન જાડા પિંડ-પ્રમાણમાંથી ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને, બાકી રહેલા એક લાખ અઠોતેર હજાર પૃથ્વીપિંડમાં ભવનપતિદેવોના ભવનો આવેલાં છે. હવે એ ઉપર છોડેલા એક હજાર યોજનમાંથી જ પૂર્વની જેમ ઉભયસ્થાનેથી નીચે ઉપરથી) સો સો યોજન છોડી દેવા એટલે બાકી રહેલા આઠસો યોજનમાં વ્યંતરદેવોના રત્નપ્રભાપૃથ્વીની અંદર રમણીય–સુંદર એવાં અસંખ્યાતાં નગરો આવેલાં છે. * વળી મનુષ્યક્ષેત્રની બહારનાં દ્વીપ–સમુદ્રોમાં આ જ વ્યંતરોની અસંખ્યાતી નગરીઓ આવેલી છે, જેનું સ્વરૂપ શ્રી જીવાભિગમાદિ શાસ્ત્રોથી જાણી લેવું. બાળક મોટી ઉંમરનું થાય એટલે ભટકતું થાય અને જ્યાં સારું લાગે કે સારું દેખાય ત્યાં દોડ્યું જાય યા ત્યાં બેસી જાય. તેમ દેવતાની જાતિમાં પણ વ્યંતરો એવા દેવો છે કે જ્યાં ત્યાં ભટકવું ને સારું લાગ્યું ત્યાં ઘુસી જવું અગર ત્યાં પગ જમાવી દેવો. વૃક્ષો, બગીચા, ખાલી મુકામો, પહાડો–પર્વતો-કોતરો પર પોતાનું સ્થાન જમાવી દે છે. એટલું જ નહીં પણ મનુષ્યની વસ્તીમાં જંગલમાં સારી જગ્યા મળી કે પેસી જાય છે અને ઘણી વાર અન્યને ત્રાસરૂપ પણ બની જાય છે. [૩૧] નવતર એ વ્યંતરોનાં નગરવર્તી ભવનોનો તેમજ ભવનપતિનાં ભવનોનો બાહ્ય તેમજ અંદરનો આકાર કેવો હોય ? તે જણાવે છે – बाहिं वट्टा अंतो, चउरंस अहो अ कण्णियायारा । નવા વર્ષના તદ વંતરા, હૃત ભવન ૩ નાથવા ભરૂરા દિ. જ. . સંસ્કૃત છાયાबहिर्वृत्तानि अन्तश्चतुरस्त्राणि अधश्च कर्णिकाकाराणि । भवनपतीनां तथा व्यन्तराणां, इन्द्रभवनानि ज्ञातव्यानि ॥३२।। શબ્દાર્થ– વહિં બહાર કહો નીચે વટ્ટા-ગોળ fmયાયારી કર્ણિકાના આકારવાળાં સંતો અંદર ડુંદ્ર–મવVITો ઈન્દ્રભવનો ર૩રંસં=ચોરસ નાયબ્બા=જાણવા થાર્થ – વિશેષાર્થ પ્રમાણે. ૩રા વિશેષાર્થ – તે વ્યંતરદેવોના ભવનો બહારના ભાગમાં ગોળાકારવાળાં હોય છે અને અંદરના ભાગમાં ચોખૂણાં હોય છે, તેમજ અધોભાગમાં કમલપુષ્પની કર્ણિકાના આકારે રહેલાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy