SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧ર૧ ) . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઉપરથી ફેંકતા જે ચીજ નીચે આવે છે તેને ગુરુત્વાકર્ષણ સાથે કોઈ સંબંધ નથી. તે પ્રાકૃતિક બનતી ઘટના છે. વૈજ્ઞાનિકોની શોધખોળો પ્રત્યક્ષ અનુભવેલી નથી હોતી પણ યાત્રિક આંખો અને ગણતરી દ્વારા નક્કી થતી હોય છે. એમાં ખોટી રજૂઆતો પણ થઈ જવાનો પૂરો સંભવ છે, અને એવું ઘણું બધું બન્યું છે. જ મારી એક આશા-અપેક્ષા અને વિનંતિ જ જૈન દર્શન-ધર્મના સિદ્ધાંતો, નિયમો સાથે વિજ્ઞાનની કેટલીક બાબતો બિલકુલ બંધબેસતી નથી. જ્યારે કેટલીક બાબતો ઓછેવત્તે અંશે નિકટવર્તી સામ્ય ધરાવતી હોવાથી અને તે અંગે વધુ વિચારણા કરવી જરૂરી લાગવાથી મારૂં લખાણ પ્રાયઃ વાંચન કે શ્રવણ માત્ર બની રહેશે એમ જાણવા છતાં મારા સ્વભાવ પ્રમાણે એક અંગત વિચાર રજૂ કરૂં છું. જો કે છેલ્લાં દશ વર્ષ દરમિયાન હું સમર્થ અગ્રણી આચાર્યપ્રવરો જેઓ પોતાના સુજ્ઞ શિષ્યો પાસે કંઇક કામ કરાવી શકે એવા આચાર્ય મહારાજોને ખાસ વિનંતિ કરતો રહ્યો છું કે હું મારા પોતાનાં અનેક કામોમાં રોકાએલો છું. ઉંમરના કારણે પણ ઝાઝું કાર્ય કરવાની પરિસ્થિતિ રહી નથી. આ સંજોગોમાં હું પોતે જૈનધર્મની ભૂગોળ-ખગોળ સિવાયની કેટલીક માન્યતા સાથે વિજ્ઞાનનું નિકટપણું કેવું છે? એ અંગે લખવાની તીવ્ર ઇચ્છા છતાં લખી શકું તેમ નથી માટે બુદ્ધિશાળી, ચતુર, હોશિયાર અને ટેકનીકલ સમજ ધરાવનારા જે કોઇ સાધુઓ હોય એવાં બે-ત્રણ સુયોગ્ય સાધુઓને તે તે સંઘાડાના અગ્રણીઓ આ કામ માટે જો રોકે અને તેમને જોઇતાં પુસ્તકો, સામાયિકો, સાહિત્ય વગેરેની સગવડ પૂરી પાડવામાં આવે અને એમને જણાવવામાં આવે કે બે વરસમાં વિજ્ઞાનની બાબતોનું જેને તત્ત્વજ્ઞાન સાથે કયાં ક્યાં નજીકપણું કે સામ્યપણું દેખાય છે તે શોધી કાઢે જેથી જૈનતત્ત્વજ્ઞાનની બાબતો સો ટકા સાચી છે એવી પ્રતીતિ લોકોને કરાવવામાં બળ મળે. વિજ્ઞાને એવી કઈ કઈ બાબતો શોધી છે એનો તેઓ સંગ્રહ કરે અને એ સંગ્રહને વિદ્વાન, અધિકારી સાધુઓ તથા ભારતીય કોઇપણ અધિકૃત વૈજ્ઞાનિક જોઈ જાય. તે પછી આપણા અભ્યાસી વિદ્વાનો ચકાસણી કરે અને પછી એ સંગ્રહને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં પ્રસિદ્ધિ આપે તો ભારતીય જૈનવિજ્ઞાન અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો વચ્ચે થોડું સેતુ (પુલ)નું કામ કરશે. જૈન-અજૈન પ્રજા ખૂબ આકર્ષશે. તેથી જાણકારી વધશે, પ્રચાર વધશે, જૈનધર્મના સિદ્ધાંતો પ્રત્યે માન અને ગૌરવ વધશે. જેનતત્ત્વજ્ઞાન વાંચવાની ભાવના જાગશે. જો કે આજની વિષમ પરિસ્થિતિમાં ભૂગોળ-ખગોળના ગૃહસ્થવિદ્વાનો આ કામ જો કરી શકે તેમ હોય તો છૂટથી પૈસા ખરચી શકે તેવી સંસ્થા કે વ્યક્તિઓએ આ દિશામાં પ્રયત્ન કરી જોવો જરૂરી ખરો ! વિજ્ઞાની નથી. વિજ્ઞાનનો ઘણો જ સામાન્ય અભ્યાસી છું જેટલું જાણ્ય, વાંચ્યું તેની જરૂરી વાતની નોંધ ૪૬ પાનાંમાં આપી છે. લખવામાં જાણે-અજાણે ખોટું વિધાન થઈ ગયું હોય, ખોટી રજૂઆતો થઈ ગઈ હોય તો ક્ષમાર્થી છે. વાચકો મને જાણ કરે તેવી વિનંતિ. યશોદેવસૂરિ * આમ તે ૩૦-૪૦ વર્ષ દરમિયાન ભૂગોળ-ખગોળ અંગેની જે નોંધો કરી, વિજ્ઞાનને લગતા જરૂરી પ્રન્થો જોયા તેના આધારે મારા વિચારોની બુક લખવાની ઇચ્છા બેઠી છે પણ હવે શક્યતા નથી. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy