SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. મુનાષ્ટક સંશી પંચેન્દ્રિય જીવોમાં ઇન્દ્રિયોને મન સાથે ગાઢ સંબંધ છે. દ્રવ્ય મન ન હોય તો દ્રવ્ય ઇન્દ્રિયો અક્રિય થઈ જાય છે. દ્રવ્ય ઇન્દ્રિયો માધ્યમ તરીકે કાર્ય કરે છે. દ્રવ્ય મનનું ભાવ મન સાથે અને ભાવ મનનું આત્મા સાથે જોડાણ છે. ૨૧ જ્યાં સુધી ઇન્દ્રિયો વિષયોમાંથી નિવૃત્ત થતી નથી ત્યાં સુધી સાચી મન્નતા સધાતી નથી. પરંતુ ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરવાની પ્રક્રિયા ઘણી સૂક્ષ્મ અને અટપટી છે. ક્યારેક તે સાધકને ભ્રમમાં નાખી દે છે. આટલું સ્પષ્ટ સમજી લેવું જોઇએ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ઇન્દ્રિયો રહેવાની. અને ઇન્દ્રિયો દ્વારા કેટલીક ક્રિયાઓ અવશ્ય થવાની. જ્ઞાની મહાત્માઓ આહા૨ લે કે ન લે ? આહારમાં અમુક દ્રવ્ય ખારાં, ખાટાં, તીખાં, ગળ્યા કે કડવાં છે એની ખબર જ્ઞાનીને પડે કે ન પડે ? તો એનો ઉત્તર એ છે કે જ્ઞાની મહાત્માઓ આહાર લે છે અને એમાં અમુક દ્રવ્ય ખાટાં, ગળ્યાં છે એની પણ એમને ખબર પડે જ. જો આવી કશી ખબર ન પડે તો એમની સ્વાદેન્દ્રિય જડ અને બુઠ્ઠી થઈ ગઈ છે એમ માનવું પડે, પણ એમ નથી હોતું. જ્ઞાનીને એની ખબર પડે, પરંતુ તેઓ તે પ્રત્યે ઉદાસીન હોય છે. તેમને ગમાનો કે અણગમાનો, ઇષ્ટ–અનિષ્ટનો કશો જ ભાવ થતો નથી. તે જાણવા માટે તેમને કોઈ ઉત્સુકતા કે જિજ્ઞાસા હોતાં નથી. તેમણે ઇન્દ્રિયોમાંથી મનને નિવૃત્ત કરી દીધું હોય છે. એટલે જ તેઓ જોતા હોવા છતાં જોતા નથી. તેઓ ખાતા હોવા છતાં કોઈ રસમાં આસક્તિ અનુભવતા નથી. તેઓ મધુર કે કર્કશ શબ્દ સાંભળતા હોવા છતાં કે સુગંધ અથવા દુર્ગંધનો અનુભવ કરતા હોવા છતાં તેમના મનમાં કોઈ પ્રતિક્રિયા ઊઠતી નથી. હવે બાહ્ય વિષયોમાંથી નિવૃત્ત થયેલા મનને ક્યાં વાળવું ? મન નિષ્ક્રિય તો રહેવાનું નથી. ચંચળતા એનો સ્વભાવ છે. આવા મનને ચૈતન્યમાં, આત્મસ્વરૂપમાં વિશ્રાન્ત કરી દેવું જોઈએ. જીવ બાહ્ય પદાર્થોમાં, ઇન્દ્રિયોના વિષયોમાં બાહ્ય સ્થૂલ વિશ્રાન્તિ ઘણી વાર અનુભવે છે. પરંતુ એ વિશ્રાન્તિ અલ્પકાલીન, ભ્રામક અને અંતે દારૂણ, કષ્ટદાયક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy