SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ જ્ઞાનસાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતે લખેલી ટીકામાં “અનુયોગદ્વાર'ની નીચેની ગાથા આ સંદર્ભમાં ટાંકી છે: सव्वेसिपि नयाणां वहुविहवत्तव्वयं णिसामित्ता। तं सव्वणय विसुद्धं जं चरणगुण ढिओ साहू ॥ [બધાય નયોનું પરસ્પર વિરુદ્ધ બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને સર્વનયને સંમત વિશુદ્ધ તત્ત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, જેથી સાધુ ચારિત્ર અને જ્ઞાનગુણમાં સ્થિર થાય છે.] વસ્તુના પૂર્ણ સ્વરૂપને જાણવા માટે મુનિએ સર્વ નયોનો આશ્રય કરવો જોઈએ. [૨૫૦] પૃથનયા: મિથ: પક્ષપ્રતિપક્ષમર્થતા: I ___ समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रितः ।।३२।।२।। [શબ્દાર્થ પૃથT=જુદા જુદા; નયા:=નયો; મિથ:=પરસ્પર; પક્ષપ્રતિપક્ષ=પક્ષ અને વિપક્ષ, વાદ અને પ્રતિવાદ; મર્થિતા =વિડંબિત થયા છે; સમવૃત્તિ=સમભાવ; સુરવીર્વાવી=સુખનો આસ્વાદ લેનાર, અનુભવ કરનાર; જ્ઞાની=જ્ઞાની, જ્ઞાનવંત; સર્વનયશ્રિતઃ=સર્વ નયોનો જેમણે આશ્રય કર્યો છે.] અનુવાદઃ જુદા જુદા નયો પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષથી વિડંબિત છે. પરંતુ) માધ્યસ્થપણાના સુખનો અનુભવ કરનાર જ્ઞાની સર્વ નયને આશ્રિત (માન્ય રાખનાર) હોય છે. (૨) વિશેષાર્થ જુદા જુદા નયવાળાઓ એટલે કે ભિન્ન ભિન્ન મતાવલંબીઓ જ્યારે પોતાના નય અથવા વિચારષ્ટિ માટે જ આગ્રહ રાખે છે ત્યારે તેમાંથી વાદવિવાદ થાય છે. પરિણામે કેટલાક કદર્થના પામે છે એટલે કે એમની વિડંબના થાય છે, આમાંથી કલહ અને સંઘર્ષ થાય છે. પરંતુ યથાર્થ જ્ઞાન ધરાવનાર સમવૃત્તિવાળા કોઈ જ્ઞાની મહાત્મા હોય તો તેઓ દરેક મત પ્રત્યે આદર રાખે છે અને એમાં રહેલા સત્યાંશને સ્વીકારે છે અને એ રીતે પૂર્ણ સત્યને પામી શકે છે. તેઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy