SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. તપાષ્ટક ૪૧૫ શ્રી હરિભદ્રસૂરિએ “અષ્ટક'માં આ વિશે ખુલાસો નીચેના શ્લોકોમાં કર્યો છે? दुःखात्मकं तपः केचिन्मन्यते तन्न युक्तिमत् । कर्मोदयस्वरूपत्वात् वलीवर्दादि दुःखवत् ॥ [કેટલાક કર્મોદયને કારણે બળદ વગેરે પશુના દુઃખની જેમ, તપ દુઃખાત્મક છે એમ માને છે, પરંતુ તે યુક્તિયુક્ત નથી.] विशिष्टज्ञान-संवेगशमसारमतस्तपः । क्षायोपशमिकं ज्ञेयमव्यावाधसुखात्मकम् ॥ વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-ઉપશમગર્ભિત તપ ક્ષાયોપથમિક તથા અવ્યાબાધ સુખરૂપ છે. (એટલે કે તપ કર્મના ઉદયરૂપ નથી પણ ચારિત્રમોહનીના ક્ષયોપશમથી થયેલ પરિણતિરૂપ છે.)]. અનિચ્છાએ અચાનક આવી પડેલું શારીરિક કષ્ટ તે કર્મના ઉદયરૂપ હોય છે, પણ સ્વેચ્છાએ સામેથી સ્વીકારેલું પરૂપી કષ્ટ તે કર્મની ઉદીરણારૂપ હોય છે. વળી તપમાં ભોગવાતું કષ્ટ બધાંને માટે કષ્ટરૂપ હોતું નથી. વળી અમુક પ્રયોજનની સિદ્ધિ અર્થે કષ્ટ ભોગવવામાં આનંદ પણ રહેલો હોય છે. એટલે બહારથી દેખાતું કષ્ટ પણ અંદરથી આનંદની અનુભૂતિ હોય એવી સ્થિતિ પણ સંભવી શકે છે. ઉપાધ્યાયજી મહારાજે બૌદ્ધોને અહીં સરસ યુક્તિસંગત ઉત્તર આપ્યો છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કષ્ટ ભોગવતી હોય તો એનું શરીર જોઈને જોનારને એ દુઃખદાયક કષ્ટ લાગે, પણ કષ્ટ ભોગવનારને તે ભોગવતી વખતે વસ્તુતઃ આનંદનો જ અનુભવ થાય છે. એના અંતરમાં રહેલા જ્ઞાનાનંદની ધારા અખંડિત રહે છે. એટલે બાહ્ય દૃષ્ટિએ કષ્ટ હોય પરંતુ વસ્તુતઃ અંદરથી એ માટે આનંદનો ઝરો વહેતો હોય તો કષ્ટ એ કષ્ટ હોતું નથી. જેવી રીતે મા પોતે ભૂખી રહીને બાળકને ખવડાવવાનો આનંદ માણી શકે છે તેવી રીતે તપસ્વી તપ દ્વારા પોતાના શરીરને કષ્ટ આપીને અંદરથી કર્મની નિર્જરા અનુભવી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy