SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. યોગાષ્ટક ૩૬૭ છે. આ શ્લોક પરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે “ષોડશક' ગ્રંથની સાત ગાથાઓ ઉતારી છે અને સૌથી વિસ્તૃત ટીકા આ શ્લોક પર એમણે લખી છે, કારણ કે આ શ્લોકમાં યોગની મહત્ત્વની વાત આવે છે. આ અષ્ટકના ત્રીજા શ્લોકમાં એમણે સ્થાનાદિ યોગના વીસ પ્રકાર બતાવ્યા છે. હવે એ વીસ પ્રકારોના પ્રત્યેકના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર પેટા પ્રકારો બતાવીએ તો યોગના કુલ એંસી પ્રકારો નીચે પ્રમાણે થાયઃ ૫ યોગ (સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, એકાગ્રતા–આલંબનરહિત) ૪ યોગ (ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિ) ૫૮૪=૧૦ પ્રકારના યોગ થાય. ૪ (પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ) ૨૦*૪=૮૦ પ્રકાર યોગના થાય. જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષયોપશમના અસંખ્ય ભેદ છે. એટલે યોગના પણ અસંખ્ય ભેદ થાય. પરંતુ યોગો વચ્ચેનો પરસ્પર તફાવત સ્પષ્ટ થાય એ હેતુથી આ સંક્ષિપ્ત વર્ગીકરણ કરવામાં આવ્યું છે. (૧) પ્રીતિ અનુષ્ઠાન–પ્રીતિ એટલે પ્રેમ, રુચિ અથવા અનુરાગ. પ્રીતિ એટલે મનથી ગમવાનો ભાવ. સાધકને આ ધર્માનુષ્ઠાન એવું ગમે છે કે બીજું છોડીને એ જ કરવાનું મન થાય. એના પ્રત્યે એક પ્રકારની નિષ્ઠા રહે છે. પ્રીતિ અનુષ્ઠાનને પત્ની પ્રત્યેના પ્રેમની સાથે સરખાવવામાં આવે છે. પ્રેમ હોવાને કારણે ચૈત્યવંદન, સામયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયાઓમાં ભાવની ભરતી રહે છે. એથી એ ક્રિયાઓ માત્ર દ્રવ્યક્રિયા બની રહેતી નથી. આવાં ધર્માનુષ્ઠાનથી તે કરનારનો હિતકારી ઉદય થાય છે. (૨) ભક્તિ અનુષ્ઠાન–પ્રીતિ અનુઠાનમાં જ્યારે તે અનુષ્ઠાન પ્રત્યે ગૌરવ અને આદર-બહુમાનનો ભાવ ઉમેરાય છે ત્યારે તે ભક્તિ અનુઠાનની જેમ અન્ય પ્રવૃત્તિઓ કે પ્રયોજનોથી ચિત્ત હવે આકર્ષાતું નથી. એવી ઇતર પ્રવૃત્તિઓમાંથી રસ ઊડી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy