SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. અનુભવાષ્ટક ૩૪૫ દ્રવ્યશ્રત રહે છે. અનુપ્રેક્ષા જોડાતાં તે ભાવઠુત બને છે. “અનુયોગદ્વારમાં કહ્યું છે: वायणा-पुच्छणा-परियट्टणा-धम्मकहा सरअक्खरवंजनसुद्धा अणुप्पेहारहियस्स दव्वसुयं, अणुप्पेहा भावसुयं । [વાચના, પૃચ્છના, પરાવર્તના, અને ધર્મકથા સ્વર, અક્ષર અને વ્યંજનથી શુદ્ધ હોય પણ અનુપ્રેક્ષા રહિત હોય તો તે દ્રવ્યશ્રુત છે અને અનુપ્રેક્ષા એ ભાવથુત છે.] આ ભાવશ્રુતમાં મહાત્માઓ ઘણી ઉચ્ચ કોટિએ પહોંચે ત્યારે અનુભવજ્ઞાનનો અવકાશ રહે છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય'માં કહ્યું છેઃ शासनसाममतिश्रुतोत्तरभावी, केवलाद् अव्यवहितपूर्वभावी प्रकाशोऽनुभव : । [મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ઉત્તરકાળે થનાર અને કેવળજ્ઞાનની અત્યંત નજીક પૂર્વકાળે થનાર પ્રકાશ તે “અનુભવ” છે.] વળી શ્રી હરિભદ્રસૂરિએ ષોડશક'માં કહ્યું છેઃ उदक-पयसोऽमृतकल्पं पुसां सज्ज्ञानमेवाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषय तृष्णापहारि नियमेन ॥ [ગુરુઓએ સમ્યગુજ્ઞાન પાણી સમાન, દૂધ સમાન અને અમતૃ સમાન કહ્યું છે. તે વિધિમાં પ્રયત્નવાળું અને વિષયતૃષ્ણાને અવશ્ય હરનારું છે.] શ્રુતજ્ઞાન નિર્મળ અને મિષ્ટ જલ જેવું, ચિંતનજ્ઞાન દૂધના સ્વાદ જેવું અને અનુભવજ્ઞાન અમૃત જેવું છે. અનુભવજ્ઞાન વિના કોટિ કષ્ટાનુષ્ઠાન કરે તો પણ કુલવાલક મુનિની જેમ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. અનુભવજ્ઞાન હોય તો જ કેવળજ્ઞાન થાય, એટલે કે અનુભવજ્ઞાન મોક્ષનું કારણ બને છે. અનુભવજ્ઞાન મોક્ષના અધિકારી થવા માટે અનિવાર્ય છે. [૨૦૨] વ્યાપાર: સર્વશાસ્ત્રાપાં વિપ્રવર્શન થવ હિ! પરંતુ પ્રાપયેત્યેકોડનુભવો વિવાર: ર દ્દારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy