SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨ ૨ જ્ઞાનસાર શબ્દ એક જ છે “શાસ્ત્ર', પણ તે ઘણું બધું કહી જાય છે. [૧૮૮] શાસ્તે પુરસ્કૃતે તમદ્િવીતરા: પુરત: | પુરો પુનર્તાશ્મિ નિયમાન્ સર્વસિદ્ધય: રાજા [શબ્દાર્થ રાત્રે શાસ્ત્રને; પુરસ્કૃતે=આગળ કરવાથી; તસ્મત્રિતેથી, એટલે; વીતરી 1:=વીતરાગને; પુરસ્કૃત:=આગળ કર્યા છે; પુરસ્કૃતે=આગળ કરવાથી; પુન:=વળી, તમિનzતેમને; નિયમ =નિયમા, અવશ્ય સર્વસિય:=સર્વ સિદ્ધિ માટે થાય છે.] અનુવાદઃ તેથી શાસ્ત્રને આગળ કર્યું એટલે વીતરાગને આગળ કર્યા. વળી તેમને (વીતરાગને) આગળ કર્યા એટલે અવશ્ય સર્વ સિદ્ધિઓ થાય છે. (૪). | વિશેષાર્થ : કોઈ સરસ ઉત્તમ ગ્રંથ હાથમાં આવે, કોઈ સરસ ચિત્ર આપણા જોવામાં આવે કે હૃદય ડોલાવે એવી કોઈ શ્રેષ્ઠ કાવ્યકૃતિ વાંચવામાં આવે તો તરત એના કર્તા કોણ છે એ જાણવા માટે આપણને ઉત્સુકતા થાય છે અને તેમને જો પ્રત્યક્ષ મળવાનું થાય તો વળી અનહદ આનંદ થાય. સ્થૂલ ભૌતિક વસ્તુઓ માટે પણ જો આવો આનંદ થાય તો પછી જેમણે આપણને મોક્ષમાર્ગ બતાવ્યો છે અને એ માટે આપણને આગમો રૂપી શાસ્ત્રો આપ્યાં છે એ તીર્થંકર પરમાત્મા માટે કેટલો બધો આનંદ થાય! ઉપાધ્યાયજી મહારાજે પોતાના કથનના સમર્થનમાં આ શ્લોકની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિના ષોડશક' ગ્રંથમાંથી નીચેનો શ્લોક ટાંક્યો છેઃ अस्मिन हृदयस्थे सति हृदयस्थस्तत्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसिद्धयः ॥ તીર્થંકર પ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાત્મા તીર્થકર ભગવંત હૃદયમાં હોય છે, કારણ કે તેઓ તેના સ્વતંત્ર પ્રણેતા છે અને જ્યારે તીર્થકર ભગવાન હૃદયમાં હોય ત્યારે અવશ્ય સર્વ અર્થની સિદ્ધિ થાય છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy