SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ જ્ઞાનસાર બહુ સારા અને સમજુ છે એવી પ્રશંસા મેળવવાના ભાવથી કશું ન કરવું જોઇએ. પોતે હવે સાતમા ગુણસ્થાનકને સ્પર્શ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. દ્રવ્યથી કે ભાવથી નીચેના ગુણસ્થાનકે પતિત થવાનું નથી. લોકોના દાખલા લેવાનું, લોકોની સંપત્તિથી અંજાઈ જવાનું કે તેમને અનુસરવાનું હવે કોઈ પ્રયોજન રહેવું ન જોઈએ. [૧૭૮] યથા વિતામ િત્તે વર વરી તૈ: | હા હાંતિ સદ્ધર્મ તથૈવનનાંગનૈ: Jારરૂારા [શબ્દાર્થ યથા=જેમ; વિન્તા=ચિંતામણિ રત્ન; વત્તે=આપે છે; વારો મૂર્ખ માણસ: નવરીનૈ=બદરીના ફળ વડે-બોરડીના ફળ-બોરના બદલામાં; દહા=અરેરે; નહતિ ત્યજે છે; સદ્ધર્મ=સદ્ધર્મને; તથૈવ=તેવી રીતે, તેમ; મનરંગનૈ =જનરંજન કરવા વડે.]. અનુવાદઃ જેમ મૂર્ખ માણસ બોરના બદલામાં ચિંતામણિ રત્ન આપી દે છે, તેવી જ રીતે, અરેરે, મૂઢ માણસ જનરંજન કરવા વડે સધર્મને ત્યજી દે છે. (૨) વિશેષાર્થ ફળોમાં બોર નાનું તુચ્છ ફળ ગણાય છે. ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે ખટમીઠાં બોર નાનાં છોકરાંઓને વિશેષ ભાવે એટલે બોર વેચનારી નાના છોકરાને છેતરી લે છે. બોર આપીને સોનાની કલ્ફી પડાવી લીધી એવી કહેવત પડી ગઈ છે. બીજી બાજુ મૂર્ખ માણસ બોરની લાલચમાં મોંઘી વસ્તુ આપી દે. અજ્ઞાની તો એથી પણ વધુ મૂર્ખતા કરે. આ વિશે એક જૂનું દૃષ્ટાન્ત છે. એક વખત રબારીને બકરી ચરાવતાં ચરાવતાં રસ્તામાંથી એક રત્ન મળ્યું. પણ એણે તો માન્યું કે આ તો કાચનો ચમકતો ટુકડો છે. એણે બકરીના ગળે એ બાંધી દીધો. પાછા ફરતા ગામમાં એક બોર વેચનારી બેઠી હતી. રબારીને બોર ખાવાનું મન થયું, પણ પાસે પૈસા નહોતા, એટલે એણે કાચ (રત્ન) આપીને બદલામાં બોર લીધાં એટલામાં એક ઝવેરી ત્યાંથી પસાર થયો. એણે બોરવાળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy