SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક ૨૮૩ રાગદ્વેષ કરવાપણું ન રહે. સારી વસ્તુ કે સ્થિતિ જોઈને માણસને આસક્તિ થશે નહિ. આસક્તિ થઈ હશે તે ઓછી થશે. યથાર્થ દર્શન થતાં યોગીઓને તે આસક્તિ સાવ છૂટી જશે. એક વખત આઠ પ્રકારનાં કર્મોની પ્રકૃતિ, ગતિ વગેરે સમજાઈ જાય પછી કર્મો બાંધવાનું માણસને ગમશે નહિ. બંધાયેલાં કર્મો ખપાવવા તે પુરુષાર્થ કરશે. જગતમાં લાભ-અલાભ, જય-પરાજય, સુખ-દુઃખ, હર્ષ-શોક, મૈત્રી અને વૈર ઇત્યાદિ વંદો જોવા મળે છે તે બધા પોતપોતાનાં કર્મોને આધારે છે, પરસ્પર ઋણાનુબંધના આધારે છે એમ સમજાય તો માણસની સમત્વબુદ્ધિ વિકાસ પામે છે. કહ્યું છે કે सुहजोगो रइहेउ, असुहजोगो अरइहेउत्ति । रागो वड्ढइ तेणं अवरो दोसं विवड्ढेइ ॥ [શુભ (કર્મ)નો યોગ રતિનું કારણ છે અને અશુભ (કર્મ)નો યોગ અરતિનું કારણ છે. તેના શુભના) યોગે રાગ વધે છે અને બીજો (અશુભનો યોગ) દ્વેષ વધારે છે.] सिवमग्गविग्घभूया कम्मविवागा चरित्तवाहकरा। धीराणं समया तिहिं चायपरिणामओ हवइ । [કર્મના વિપાકો શિવમાર્ગના વિદ્ગભૂત અને ચારિત્રનો બાધ કરનારા છે. તેથી ધીરપુરુષોને ત્યાગના પરિણામને લીધે સમભાવ થાય છે.] સરેરાશ સામાન્ય માણસોને સંસારમાં કોઈ વિષમતા દેખાતી નથી. એવી એમની દૃષ્ટિ ખીલી નથી હોતી. જે જીવન મળ્યું તે તેઓ જીવી જાય છે. સંસાર પ્રત્યે તેઓની આસક્તિ ગાઢ હોય છે. તેઓને મુક્તિ-મોક્ષ શું એની ખબર નથી હોતી અને કંઈક ખબર હોય તો તેઓ ઉદાસીન હોય છે અને એ દિશામાં એમનો પુરુષાર્થ નથી હોતો. એટલે જ આવા માણસો સાંસારિક સુખ આવે રાજી રાજી થાય છે અને દુઃખ આવે રોદણાં રડે છે, વલોપાત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy