SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. માધ્યસ્થાષ્ટક ૨ ૨૭ છે. જુદા જુદા પહાડોમાંથી તે નીકળે છે અને જુદા જુદા માર્ગોમાંથી વહે છે. કોઈ ઝડપી, ઉછળતી, ઘૂઘવતી હોય છે, તો કોઈ શાંત, રમણીય હોય છે. ભલે નદીનું ગમે તે સ્વરૂપ હોય, તેનું કાર્ય તો સાગરને મળવાનું છે. સાગર અક્ષય હોય છે. એવી જ રીતે મધ્યસ્થ દૃષ્ટિવાળા સાધકોનું અંતિમ લક્ષ્ય તો પરમ બ્રહ્મની પ્રાપ્તિ છે. અર્થાત્ પરમ બ્રહ્મમાં લીન થવાનું છે. બધા જ મધ્યમ0 દૃષ્ટિવાળા એકસરખી કક્ષાના કે એક સરખી દશાના નથી હોતા. બધાની સાધનાપદ્ધતિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તેમાં કોઈ અપુનબંધક, કોઈ સમ્યગ્દષ્ટિ સાધક અવિરતિવાળા તો કોઈ દેશવિરતિવાળા તો કોઈ સર્વ વિરતિવાળા હોય છે. કોઈ જિનકલ્પી તો કોઈ સ્થવિરકલ્પી હોય છે. તેઓ મધ્યસ્થ દૃષ્ટિવાળા હોવાથી તેમનામાં સમભાવ હોય છે અને તેમની રાગદ્વેષની પરિણતિ ક્રમે ક્રમે ઘટતી જઈ નિર્મળ થઈ જાય છે. તેમનાં કર્મો અનુક્રમે ક્ષીણ થવા લાગે છે. અંતે તેઓ બધા પોતપોતાના સમયે સર્વ કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે, એટલે કે પરમ બ્રહ્મ બની જાય છે અને પરમ બ્રહ્મમાં ભળી જાય છે. [૧૨૭] સ્વામં માત્ર ટ્રેષમાત્રા પર મમ્ | न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।। १६ ।। ७ ।। [શબ્દાર્થ સ્વીમિં પોતાનાં શાસ્ત્રને, સિદ્ધાન્તને; રા/માત્રેઇ=રાગ માત્રથી, કેવળ રાગથી; ટ્રેષમાત્ર = કેવળ દ્વેષથી; પરીમ=પરનાં શાસ્ત્રને; ન=નથી; શ્રીમ=સ્વીકારતા; ત્યનામ:=ત્યજતા; વા=અથવા, અને; 7િ=પરંતુ; મધ્યસ્થયા દશા મધ્યસ્થ દૃષ્ટિથી.] અનુવાદ–અમે પોતાના શાસ્ત્રસિદ્ધાન્તનો માત્ર રાગથી સ્વીકાર કરતા નથી અને પરના શાસ્ત્રસિદ્ધાન્તનો માત્ર દ્વેષથી ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી તેમ કરીએ છીએ. | વિશેષાર્થ જેઓ મધ્યસ્થ દૃષ્ટિવાળા હોય છે તેમની કસોટી પોતાનાં અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy