SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પ્રાતુર્યાત્=પ્રગટ કરે; ન=નથી; નિ:સ્પૃ: નિઃસ્પૃહ, સ્પૃહારહિત.] અનુવાદ-નિ:સ્પૃહ સાધુ નગરવાસીઓથી વંદન કરવા યોગ્ય હોવાથી (પોતાને મળતા) ગૌરવને, પ્રતિષ્ઠા વડે મળતા ઉત્તમપણાને તથા પોતાના જાતિગુણથી (ઉત્તમ કુળથી) મળતી ખ્યાતિને પ્રગટ ન કરે. (૬) જ્ઞાનસાર વિશેષાર્થ : ગૃહસ્થ જીવનમાં માણસોને પૈસો, પદ, પ્રતિષ્ઠા વગેરેને કારણે ચારે બાજુ માનપાન મળે છે. એમની કીર્તિ ચારે બાજુ ફેલાય છે. મોટા દાતા, પરાક્રમી, શૂરવીર કે વેપારઉદ્યોગમાં સફળતા મેળવનાર, સારા અધિકારી, મંત્રી,થાકાર, વ્યાખ્યાતા, અભિનેતા વગેરેને અનેક લોકો ઓળખતા હોય છે. એમાં પણ પૈસો અને સત્તા ભેગાં થાય તો માણસની વાહ વાહ ઘણી વધી જાય છે. બીજી બાજુ માણસ ગૃહસ્થ જીવન છોડીને સાધુ થાય છે ત્યારે પણ એમનો ભક્તવર્ગ ઘણો વધે છે. એમને પણ ઘણા લોકો ઓળખે છે. યશ, કીર્તિ, પ્રસિદ્ધિ એ પણ એક પ્રકારનો નશો છે, જે ઊતરતાં વાર લાગે છે. કોઈ અજાણ્યા સ્થળે એવો માણસ ગયો હોય કોઈ ઓળખે નહિ તો તે અંદરથી ધૂંધવાય છે. કોઈકની સાથે વાત કરતાં તેનાથી બોલી જવાય છે, ‘તમને ખબર છે કે હું કોણ છું ?' કેટલાક સાધકો સ્વમુખે પોતાનાં કાર્યોની, મહત્તાની વાત સામાન્ય રીતે નથી કરતાં, પણ કંઈ મુશ્કેલી પડે, સંકટ આવી પડે ત્યારે પોતાને અનુકૂળતા પ્રાપ્ત થઈ, મુશ્કેલીમાંથી માર્ગ નીકળ્યો હોય, તકલીફમાંથી બચી જવાયું હોય, પોતાને અગ્રતા અપાઈ હોય ત્યારે એ બધાંનો હર્ષ અનુભવાય છે પરંતુ સાચા સાધકો એવી પ્રતિકૂળતા કે તકલીફ વખતે પણ પોતાની સિદ્ધિનો ઉલ્લેખ કરતા નથી. પોતાનું નામ મશહૂર હોય તો સ્વમુખે કહેતા પણ નથી કે પોતે કોણ છે. કેટલાક કહેવાતા ત્યાગી મહાત્માઓ માટે પોતાના ભક્તસમુદાયની સંખ્યા એ પોતાની સિદ્ધિની પારાશીશી બને છે. જેમ ભક્તોનું ટોળું મોટું તેમ પોતે મોટા એવા ભ્રમમાં તેઓ રાચે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy