SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૬ . . . . . . વાર મયણાને કોઈકે કહ્યું : “જા, પેલા સાધુ પાસે. દયાનો દરિયો છે, શીલનો શણગાર છે, ક્ષમાનો અવતાર છે; સોનારૂપાને એ અડતોય નથી. ધરમનો અવતાર છે. ભાગ્ય હોય તો તમ બેનો ભવ સુધરી જશે. આ ભવ ને પરભવનું સુખ મળશે.' - રાણી તો પહોંચી સાધુ પાસે. જઈને વંદન કર્યા, શાતા પૂછી; પણ પૂછતાં પૂછતાં હૈયું ભરાઈ આવ્યું. - સાધુ કરુણાના અવતાર હતા, દુનિયાના દુઃખથી એમનું હૈયું દાઝતું હતું. એ કહે : “બાઈ, કાંઈ તને દુઃખ, કાંઈ તને વિપદ?' મહારાજ, શું કરું ? મારે માથે આભ છે, ને નીચે ધરતી છે. વનનાં ઝાડ પણ દુશ્મન છે. રતનજ્યોત જેવો ભરથાર છે, પણ કોઢી થયો છે. કોઢ જાય તેવી કાંઈ દવા બતાવો, ભવોભવ તમારો પાડ નહીં ભૂલું !” ને વળી મયણા રડવા લાગી. “હે બાઈ, ધીરજ ધર. દુ:ખ તો માણસના માથે હોય – ઢોરને માથે ન હોય. હે સતી નાર, અમે તો સાધુ. ન જાણીએ દવા કે ન કરીએ ઓસડ. હા, અમારી પાસે સો રોગનું એક ઓસડ છે; એનું નામ ધર્મ !' સાધુરાજ કાંઈ વિચારે છે, વિચારીને કહે છે : “બાઈ, બાઈ, તું ભાગ્યશાળી છે. એ નર લાખેણો છે. એનાથી ધર્મનો ઉદ્યોત થશે. જાગતી જ્યોત જેવો એક મંત્ર આપું. આગમરૂપી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005462
Book TitleRaja Shripal Sheth Jagdushah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy