SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી મોં તોડે છે. શેઠના જાણવામાં આ વાત આવી ત્યારે ભારે દુઃખી થયો. એણે સુંદર શેઠાણીને કહ્યું: “અરે, શાસ્ત્રમાં કહ્યું છે કે જે બાપ દીકરાને ભણાવતો નથી, એ એનો દુશ્મન છે; ને જે માતા દીકરાને ભણાવતી નથી, એ એની વેરી છે. અભણ દીકરા જ્યાં જશે ત્યાં હંસની સભામાં કાગડાની દશા પામશે. વ્યાપાર એમને નહીં આવડે. પાંચમાં એ નહીં પુછાય. શાખઆબરૂ જામશે નહીં. સારાસારનો વિવેક એમને નહીં આવડે. જેમ આવશે તેમ ભરડશે. ક્લેશ એમને પ્યારા લાગશે. કજિયા એમને વહાલા લાગશે. પારકા ઓટલા તોડશે. પારકા દોષ જોશે. પારકાની પંચાત કરશે. આપણું કુળ બોળશે.” શેઠાણી કહે, બળ્યો તમારો વેપાર ને બળી તમારી આબરૂ ! મારા દીકરાને કોઈ શું કહેશે ? . શેઠ બિચારો સમસમીને બેસી રહ્યો છે. બૈરીની બુદ્ધિ પાનીએ, જે કહ્યું છે તે કંઈ બધી ગુણવાન સ્ત્રીઓ માટે નહીં, પણ આવી કોક કભારજાને માટે ! છોકરા મોટા થયા. જુવાન થયા. પૂરેપૂરા ઊંચા, લાંબા ને પહોળા થયા. તાડના ત્રીજા ભાગ જેવા થયા; કકળતા કાગડા જેવા થયા. અદીઠ કલ્યાણ થયા. ઉકરડે ફૂંકતા ભંડ જેવા થયા. લાતાલાતી કરતા ગધેડા જેવા થયા. ગામના તેવાતેવડા છોકરાનાં વેવિશાળ થયાં, લગ્ન લેવાયાં. ઢોલનગારાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005459
Book TitleShrenik Bimbisara Gyanpanchami
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy