SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૪ તો નાસતાં ભોં ભારે થઈ ગઈ. મહામહેનતે એ દાસીઓના હાથમાંથી છૂટીને નાઠા. નારદજી મનમાં ખૂબ ગુસ્સે થયા. સીતાને રૂપનું ખૂબ અભિમાન લાગે છે. હું જોઈશ, એ અભિમાનનું એને શું ફળ મળે છે! સખીઓની દાઝ સીતાજી ઉપર ઠાલવી. નારદજીએ તો એક સુંદર રૂપ આલેખ્યું ને વૈતાઢ્ય પર્વત ઉપર ચાલ્યા. ત્યાં ચંદ્રગતિ નામનો એક વિદ્યાધર રાજા હતો. તેને ભામંડળ નામે પુત્ર હતો. તેને ત્યાં ઊતર્યા. ભામંડળને પેલું રૂપ બતાવ્યું. ભામંડળ એ જોઈ મુગ્ધ થઈ ગયો. ગમે તેમ થાય, પણ સીતાને હું પરણીશ.” એમ તેણે નિશ્ચય કર્યો. પછી જનક રાજા આગળ ચંદ્રગતિએ દૂત મોકલીને પોતાના પુત્ર ભામંડળ માટે સીતાની માગણી કરી. જનક રાજા કહે, “સીતાજી મનથી રામને વરી ચૂકી છે. માટે હવે કંઈ ન બને.' દૂત કહે, “જનકરાજ ! તો સીતાને પરણવા માટે ખૂનખાર લડાઈ થશે. એમાં જીતશે તે સીતાને પરણશે. અને જો એવી લડાઈ ન થવા દેવી હોય તો અમારે ત્યાં બે દેવતાઈ ધનુષ્ય છે, એ લઈ જાઓ ને સ્વયંવર રચો. એમાં જે ધનુષ્યની પણછ ચડાવે તે ભલે સીતાને પરણે.” જનકરાજે એ સૂચના સ્વીકારી. સ્વયંવર મંડપ રચાઈ ચૂક્યો. રાજા તથા વિદ્યાધરો પોતપોતાના યોગ્ય સ્થાને બેસી ગયા. વચ્ચે એક બેઠક બનાવી તેના પર ધનુષ્ય મૂક્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy