SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મૃગાવતી આખરે રાજાએ તેના જમણા હાથનો અંગૂઠો કપાવીને એને કાઢી મૂકયો. રાજાએ કરેલા દંડથી ચિત્રકારને બહુ જ ગુસ્સો ચડ્યો. આવા દુષ્ટ રાજાઓને જડથી ઉખેડી નાખવા જોઈએ, એમ તેણે પ્રતિજ્ઞા કરી. * ચિત્રકારે ફરીથી મૃગાવતીનું ચિત્ર દોર્યું. પોતાની બધી કળા એમાં ઠાલવી. જોનાર ક્ષણભર મુગ્ધ થઈ જાય એવું અપૂર્વ અને અદ્ભુત રૂ૫ ૨જૂ કર્યું. ચિત્ર લઈ અવંતિના રાજા પ્રદ્યોત પાસે ગયો. પ્રદ્યોતનો ગુસ્સો ભારે પ્રચંડ હતો-એથી એ ચંડપ્રદ્યોત કહેવાતો. એ ધાર્યું કરનારો હતો. એની રણહાકથી તે વખતે ભારતની ભૂમિ કાંપતી હતી. આવો બળવાન અને પ્રતાપી રાજવી કામાંધ હતો. કોઈ રૂપાળી સ્ત્રીનું નામ આવ્યું કે ઘેલો ! સોનાની થાળીમાં લોઢાની મેખ હતી. ચિત્રપટ જોતાં જ તે ડોલી ઊઠ્યો. Jain Education International ૨૧ રાજા કહે : “આ સ્ત્રી-રત્નને મારા અંતઃપુરમાં લાવ્યા સિવાય હું આ તલવાર નીચે નહિ મૂકું.' એણે ચિત્રકારને ખૂબ ઇનામ આપ્યું. ચિત્રકારે જોયું કે પોતાની ઇચ્છા બર આવી છે. રાજા ચંડપ્રદ્યોતે પોતાની રાજસભા મેળવી. તેમાં પ્રસ્તાવ મૂકયોઃ ‘વત્સરાજ શતાનિક ઉપર હુમલો ક૨વો છે.’ બધાએ આ સાંભળી પૂછયું : ‘મહારાજ ! એ તો આપના સાઢુ છે. એની સામે યુદ્ધ નહિ, મૈત્રી જ રાખવી ઘટે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy