SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા દઢપ્રહારી ૩૧ ت ن .ن.ت. . . દૃઢપ્રહારી બોલ્યો પ્રભો ! હું મહાપાપી છું. મારે માટે જગતમાં સ્થાન નથી. મુનિ કહે, ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણાં ન રો. શાંતિથી તારા જીવનનો વિચાર કર. અને તેનો અમલ કરવા લાગી જા. દૃઢપ્રહારી કહે, પ્રભો ! હું મહાપાપી છું. મારા હાથે આજે ચાર હત્યાઓ થઈ છે. હવે મારું શું થશે. મુનિ કહે, ભાઈ ! ગભરાઈશ નહિ. સાધુજીવનની દીક્ષા લે. સંયમ અને તપનું આરાધન કર. લાગેલાં પાપ નિવારી નાખ. પશ્ચાત્તાપ કર. તારી કાયાનું કલ્યાણ થશે. દઢપ્રહારીએ હથિયાર છોડ્યાં. લીધી દીક્ષા અને તે જ વખતે નિશ્ચય કર્યો. જ્યાં સુધી આ ચાર હત્યા યાદ આવે ત્યાં સુધી અન્ન કે પાણી લેવાં નહિ. દઢપ્રહારી શયતાન મટી સંત થયા. ગયા પેલા નગરને દરવાજે. ધ્યાન ધરીને ઊભા રહ્યા. લોકો આવે, જાય ને વાતો કરે : એ મહાદુષ્ટ છે. ભંડાં કામનો કરનાર છે. મારો, એ હત્યારાને ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005421
Book TitleMaharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy