SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ .ن.بن.تن. વસ્તુપાળ મહામંત્રી બન્યા તે વખતે તિજોરીમાં પૈસો ન હતો, રાજ્યમાં ન્યાય ન હતો. અમલદારો ભારે લાંચ લેતા ને રાજની ઊપજ પોતાના જ ખિસ્સામાં મૂકતા. તેમને દબાવી શકે એવું બળ કોઈનામાં નહોતું. આ બધી હકીકત બરાબર ધ્યાનમાં લઈ વસ્તુપાળે પોતાનું કામ શરૂ કર્યું. તેઓ સજ્જનોનો સત્કાર કરવા લાગ્યા અને લાંચિયા અમલદારોને પકડી તેમનો દંડ કરવા લાગ્યા. આ દંડમાંથી થોડુંઘણું ધન મળ્યું એટલે કેટલુંક લશ્કર તૈયાર કર્યું. પછી બધો રાજકારભાર થોડા વખત માટે તેજપાળને સોંપ્યો અને પોતે લશ્કર લઈને રાજાની સાથે ચાલ્યા. નિર્દોષ રૈયતને પાળવી, તોફાની માણસોને દંડવા; એ રાજ માટે જરૂરી છે. જે જે ગામના મુખીઓ રાજ્યનું લેણું આપતા નહોતા, તેમની પાસેથી લેણું વસૂલ કર્યું. જે ઠાકોરોએ ખંડણી ભરવી બંધ કરી હતી તેમની પાસેથી બધી ખંડણી વસૂલ કરી. આ પ્રકારે આખા રાજ્યમાં ફરી રાજ્યની તિજોરી તર કરી. સઘળી જગ્યાએ વ્યવસ્થા ને શાંતિ દાખલ કરી. હવે વસ્તુપાળે મળેલા ધનથી મજબૂત લશ્કર તૈયાર કર્યું. સીમાઓ પરના રાજાઓને જીતવાની તૈયારી કરી. તે વખતે સૌરાષ્ટ્રમાં બહુ અંધાધૂંધી ચાલતી હતી. રાજાઓ પણ યાત્રાળુઓને લૂંટતા હતા. આથી વસ્તુપાળ સહુ પહેલાં સૌરાષ્ટ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005421
Book TitleMaharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy