SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमां राजा कुमारपालना समयनो शिलालेख ભાષાન્તર ( ૧ ) શિવને નમસ્કાર હાજો. ભવાનીપ્રિય શંકરને તેની કાપિત સહુચરીએ “ તમારી જટામાં હું ગંગાની હાજરી સહન કરૂં છું તેથી એ શઠ ! તમે તમારા કર્ણેમાં તેની લીલા કરાવે છે અને ક્રમે તમે તેને તમારા અંકમાં લીધી છે. ” એમ ઉદ્દેશ્યા ત્યારે શ્રીશંકરે કહ્યું કે નારીએમાં શ્રેષ્ઠ ! ગુરૂ ગંડની આ કીર્તિ મારી ભ્રમરનું ભ્રષણ માત્ર છે તે (શંકર ) તમારી રક્ષા કરે. ६५ (૨) વિશ્નરાજ ગણપતિ જય પામે. હું તમને નમન કરૂં છું. સંત બૅંડના ગુણેાની પ્રશસ્તિનું કાર્યો કરૂં ત્યાં સુધી મારા વાણી પ્રવાહ ચાલુ રહે તે માટે સરસ્વતિ મને નવેાતિની શક્તિની પ્રસાદી અ. (૩) કામદેવના અંગને ભસ્મ કરનાર શંકરથી પવિત્ર થએલે, અને તેને શિર પર ધારનાર દેવની આજ્ઞાથી પેાતે જ પ્રસારેલી આ પદ્ધતિ સત્યુગમાં પાર્વતી શાપથી અદૃશ્ય થએલા પશુપત મતના બુદ્ધિમાન અનુયાયીઓને આપી દેનાર શશિના વિજય થાએ. (૪) જ્યારે કલિયુગના થાડા સમય વહી ગયા ત્યારે શંકરે મંદિરને જીર્ણ હાલતમાં જોઇ નન્દીશ્વરને તેના ઉદ્ધાર કરવા આજ્ઞા કરી. (૫) શ્રી કાન્યકુબ્જ વિષયમાં વારાણસી નગરીમાં જે દેવતાનું, ધર્મનું અને મેાક્ષનું સ્થાન હતું તે વિખ્યાત પુરીમાં દ્વિજવરના ઘરમાં શિવની આજ્ઞાથી નન્દીશ્વરે જન્મ લીધા અને પશુપતિનું વ્રત કર્યું. ( ૬ ) તે તપના નિધિ યાત્રાએ માટે, નૃપાને દીક્ષા આપવા માટે અને પશુપતિનાં સ્થાનેાની રક્ષા કરવા માટે નીકળ્યે. (૭) અતિ વિદ્વાન, અખિલ જગથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાના ઉપમાનની પદવી પ્રાપ્ત કરનાર, નકુલિશ સમાન દેહવાળા, મુનિએથી પૂજાતા, કામદેવ સમાન, અને તેના પેાતાના આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસ્ત્રા સમાન, ભાવ બૃહસ્પતિ ધારાપુરી ગયા. (૮) માલવા અને કાન્યકુબ્જ અને ઉજ્જનમાં કરેલાં તપથી, પરમારે ને તેના શિષ્ય બનાવી, મઠાનું સુરક્ષણ કરીને અને તેની સાથે અતિ પ્રસન્ન થયેલા જયસિંહદેવ નૃપના ભ્રાતૃભાવ પ્રાપ્ત કરીને, ત્રિભુવનમાં ભાવબૃહસ્પતિની મતિ સર્વથી ઉજ્જવળ ભાસે છે. (૯) આ જગમાં તેના જન્મનું કારણ શંભુએ સ્મરણ કરાવ્યાથી, પવિત્ર મનના ભાવ ગૃહસ્પતિએ મંદ્વિરના ઉદ્ધાર કરવા વિચાર કર્યાં તે દિવસે સિદ્ધરાજે અંજલિ કરીને તેને સર્વથી શ્રેષ્ઠ માન આપ્યું અને અતિશ્રદ્ધાથી તેની સેવા કરી. ( ૧૦ ) જ્યારે તે નૃપ સ્વર્ગમાં ગયા ત્યારે અચિંત્ય મહિમાવાળા, ભલ્લાદેશ અને ધાર નગરીને સ્વામી જાંગલના ધનવાન નગરના ગજ સમાન રાજાનાં શિરપર તરાપ મારતા સિંહ સમાન અને પેાતાના શૌર્યથી તેજસ્વી એવા કુમારપાલ રાજા ગાદી પર આવ્યેા. Jain Education International ૧૧) ત્રિભુવનમાં કલ્પતરૂ સમાન શ્રી કુમારપાલ રાજા રમ્ય અને વિજયી સિંહાસન પર રાજ્ય ચલાવતા ત્યારે ગંડ ભાવ બૃહસ્પતિએ શિવનું મંદિર જીર્ણ સ્થિતિમાં જોઇ તે દેવનું મંદિર ઉદ્ધરવા રાજાને કહ્યું. ( ૧૨ ) શંકરના શાસનથી મહાન્ મંદિર બંધાવનાર, ચાર વર્ઘાથી માન પામેલા, ઢઢ મનના, ગાર્ગીય ગોત્રમાં જન્મેલા શ્રી બૃહસ્પતિને પૃથ્વીપર ગંડેશ્વરના નામથી વિખ્યાત, ગોત્ર મંડલમાં શ્રેષ્ઠ હાઈ સર્વના સ્વામિ કુમારપાલે બનાવ્યેા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy