SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ३९ એમ ધારવાને એક વધુ પ્રમાણ મળે છે કે પહેલા ચૌલુક્ય જિત મેળવીને ગુજરાત લીધું હતું અને પ્રબંધમાં કહ્યું છે તેમ પિતાના નજીકના સંબંધી છેલ્લા ચાત્કટને દગાથી મારીને નહિં. ૬ ઠ્ઠા શ્લેકમાં ચામુંડે સિંધના રાજાને લડાઈમાં હરાવ્યાનું કહ્યું છે. આ બાબત બીજા કેઈ લેખમાં આપી નથી, પણ અસંભવિત નથી. કારણ કે ચૌલુક્યના રાજ્યની પશ્ચિમની સીમા ઉપર સિંધ આવ્યું હતું, તથા ત્યાર બાદ ભીમદેવ અને તેના પુત્ર કર્ણ બને ત્યાંના રાજાઓ સાથે તકરાર હતી. વલ્લભરાજ વિષે લેખમાં (લેક ૭) કહ્યું છે કે તેણે માળવા ઉપર ચઢાઈ કરી હતી. આ હકીકત “કીર્તિ કૌમુદી,” “સુકૃતસંકીર્તન” તથા ત્યાર પછીના “પ્રબંધ'માં પણ આપી છે, જ્યારે હમચંદન આ વિષે મૌન છે. જ્યાં સુધી સેમેશ્વર અને અરિસિંહની સાક્ષીને તેની પહેલાંને પુરાવાને ટેકો ન મળે ત્યાંસુધી આ હકીકતમાં સંશય રહેતા હતા. હવે આ દંતકથાની સચ્ચાઈ ઉપર દેકારે પણ થઈ શકે તેમ નથી; દુર્લભરાજે લાટ જિત્યે એમ કહ્યું છે. પણ આ પરાક્રમનું વર્ણન બીજે કયાંઈ આપ્યું નથી. સાધારણ રીતે મધ્ય ગુજરાતને ચૌલુક્યોના રાજ્ય સાથે મૂલરાજે જોયું, એમ ગણાય છે. આપણે પ્રશસ્તિમાં ભીમદેવે ધારા જિતવાનું લખ્યું છે તે પણ તેટલી જ જાણવા જેવી હકીકત છે. આ હકીકત પણ “કિર્તકૌમુદી, સુકૃતસંકીર્તન” અને ત્યાર પછીના “પ્રબંધ' ની હકીક્તને મળતી આવે છે. તેમાં લખ્યું છે કે ભીમે ભેજને નાશ કરાવ્યું. આ બાબત હેમચંદ્ર લક્ષમાં લીધી નથી, તે વાત હવે નિરૂપાગી છે. દુર્ભાગ્યે જયસિંહ-સિદ્ધરાજ સંબંધી પ્લેક (૧૧-૧૩) ભૂંસાઈ ગયા છે. ફક્ત એક જ શ્લેક ખે છે. તેમાં કહ્યું છે કે તેણે માળવાના રાજા યશવમોને બંદિવાન કર્યા હતા, તથા તેને પારસમણિ અગર અર્ક મળ્યું હતું તે વડે પિતાની સર્વ પ્રજાનું કરજ આપ્યું હતું. ૧૨ મા શ્લેક ઉપરથી જણાય છે કે ભૂતપ્રેત ઉપર તેની સત્તા હતી. આથી જણાય છે કે, હેમચંદ્રના દ્વયાશ્રય કાવ્યમાં છે તેમ, શ્રીપાલને પણ પિતાના સ્વામીને અલૌકિક સત્તા આપવાની જરૂર જણાઈ હતી. કુમારપાલ સંબંધી પાંચ લેકે, ૧૪થી૧૮, તેણે મેળવેલી બે પ્રખ્યાત જિતની બહુ પ્રશંસા આપે છે. તેમાંની એક, ઉત્તરના, એટલે રાજપૂતાનામાં શાકંભરી સાંભરના રાજા અર્ણોરાજ ઉપર મેળવેલી, તથા બીજી પૂર્વમાં માળવાના રાજા ઉપર મેળવેલી હતી. માળવાના રાજાએ સ્વદેશનું રક્ષણ કરતાં પોતાની જીંદગી ગુમાવી હોય એમ લાગે છે, કારણ કે ૧૫ મા શ્લોકમાં કહ્યું છે કે, તેનું મસ્તક કુમારપાલના મહેલના દ્વાર ઉપર લટકાવ્યું હતું, તથા ૧૭ મા શ્લોકમાં પણ ફરીથી તેનાં છેદાયેલા મસ્તક વિષે લખ્યું છે. આ બન્ને લડાઈઓ બીજાં ઘણાં સ્થળે આપેલી છે. તેમ છતાં આપણું પ્રશસ્તિમાંથી જાણવું જરૂરનું છે કે, તે લડાઈએ વિક્રમ સંવત્ ૧૨૦૮ પહેલાં બંધ થઈ હતી. અત્યાર સુધી, માંડેલના દાનપત્રના આધારે ફક્ત એટલું જ કહી શકાતું હતું કે, અરાજને વિક્રમ સંવત્ ૧૨૧૩ પહેલાં જિતવામાં આવ્યો હતો. હવે આપણે જાણીએ છીએ કે જયસિંહે અગાઉ ગુજરાત સાથે જેડી દીધેલા માળવામાં થયેલો બળ પણ પાંચ વર્ષ વહેલો દાબી દીધું હતું. શ્લેક ૧૯ થી ૨૯ માં બ્રાહ્મણનાં પ્રાચીન રહેઠાણ નગર અથવા આનંદપુર તથા તેને ફરતા કુમારપાલે બંધાવેલા કિલ્લાનાં વખાણુ, તથા તેના લાંબા આયુષ્ય માટેની ઈરછા દર્શાવેલ છે. આ નિંદપુર જેને હાલ સાધારણ રીતે વડનગર અથવા સંસ્કૃતમાં વૃદ્ધિનગર કહેવામાં આવે છે તે વડેદરા રાજ્યના કી ડિસ્ટ્રિકટના ખેરાળ મહાલમાં આવ્યું છે. હ્યુએન સીઆંગના પ્રવાસ (સી-યુકિ, વે ર. પા. ૨૬૮)માં તેના અસ્તિત્વની વહેલામાં વહેલી નેધ છે. ત્યાર બાદ થોડા સમય પછી તેનું નામ વલભીનાં જમીનનાં દાનપત્રોમાં આવે છે. અને જ્યાં શીલાદિત્ય ૬ ઠ્ઠા ધ્રુભટે તેનું (ગુપ્ત)-સંવત ૪૪૭૪નું શાસન કાઢયું હતું તે કદાચ આજ આનંદપુર હાય. ઈ. એ. જે. 9 પા. ૮ અને કે, ઈ ઈ. વ. ૩ ૫. 1ળ વગેર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy