SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૧૩૮ મૂલરાજ ૧ લાનાં બાલેરાનાં પતરાં (વિક્રમ) સંવત ૧૦૫૧ માઘ સુદિ ૧૫ - મી. એચ. એચ. ધ્રુવ અને મુન્શી દેવીપ્રસાદે આ પતરાંની નેંધ લીધેલી છે. જોધપુર સ્ટેટના સોચેર ડિસ્ટ્રિક્ટમાં બાલેરાના બ્રાહ્મણ દેવરામના કબજામાં આ પતરાં છે. મી. ડી. આર. ભાંડારકરે મને આપેલી છાપ ઉપરથી હું તે પ્રસિદ્ધ કરું છું. ' ( ૭૪૫” નાં માપનાં બે પતરાં છે અને દરેક એક જ બાજુએ કેતરાએલું છે. તેમાં એકંદરે ૨૧ પંક્તિ લખેલી છે. તેમાંની ૧૦ પંક્તિઓ પહેલા, અને ૧૧ પંક્તિઓ બીજા પતરા ઉપર છે. તથા પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. તેને એક કડી વડે સાથે જોડેલાં છે. મી. ભાંડારકરને આ પતરાં મળ્યાં ત્યારે આ કડી ભાંગી ગયેલી હતી. તેના ઉપર મુદ્રા નહાતી. - ચૌલુક્યાની અણહિલવાડ શાખાના સ્થાપનાર મહારાજાધિરાજ મૂલરાજ ૧ લાને આ લેખ છે. મૂલરાજના બીજા બે લેખો પણું જાણુમાં છે. જૂનામાં જૂનો લેખ જેના ઉપર ઈ. સ. ૭૪ ના ઓગસ્ટની તા. ૨૪ ને વાર તેમને મળતી વિક્રમ સંવત ૧૦૩૦ ના ભાદ્રપદ શુકલ પક્ષ ૫ ની તિથિ લખેલી છે. તેની નૈધ મી. ધ્રુવે લીધેલી છે. બીજો લેખ, ઈ. સ. ૯૮૭ ના જાન્યુઆરીની તા. ૨ વાર રવિને મળતી વિક્રમ સંવત ૧૦૪૩ ના માઘ વદિ ૧૫ ની તિથિને કડીના છે. આપણે લેખ મલરાજનો છેલામાં છેલ્લે છે. અને તેના ઉપર, ઈ. સ. ૯૫ ના જાન્યુઆરીની તા. ૧૯ મી ને વાર શનિ, જે દિવસે હિન્દુસ્તાનમાં ચંદ્રગ્રહણ દેખાયું હતું તેને લગતી સંવત ૧૦૫૧ ના માઘ શુકલ પક્ષ ૧૫ મી તિથિના ચંદ્રગ્રહણની તારીખ છે. આમાંના કેાઈ પણ લેખમાંથી આપણને મૂલરાજ વિષે બહુ જાણવા જેવી હકીકત મળતી નથી. કડીનાં પતરાં ઉપરથી જણાય છે કે, તે ચૌલુક્યોને વશજ, તથા મહારાજાધિરાજ રાજીને પુત્ર હતું, અને તેણે પોતાના બાહુબળ વડે સારસ્વત મંડલ જિહ્યું હતું. ગુજરાતના વૃત્તાન્તમાં રાજી કનૌજમાં લ્યાણકટકને રાજા હોવાનું લખ્યું છે, તથા તેના વિશે કેટલીક વાતે પણ આપી છે. પરંતુ આ વાતનું પ્રમાણુ લેખમાં મળતું નથી. મૂલરાજના વંશના બીજા લેખેમાંથી તેના વિષે મળી આવતી હકીકત પણ જાજ છે. તેને “ચૌલુક્ય વંશનાં કમળ- સરોવરને પ્રપુલિત કરતે સૂર્ય” કહ્યો છે. ( જીઓ જયંતસિંહ, ભીમદેવ, અને ત્રિભુવનપાલનાં કડીનાં પતરાં). આ દાનપત્રને હેત, કાન્યકુંજમાંથી દેશાંતર કરી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર દીર્ધાચાર્યને એક ચંદ્રગ્રહણને દિવસે આપેલું દાન નેધવાને છે. તેને લેખક કાયસ્થ કાન્ચન છે. તેણે કડીનાં સંવત ૧૦૪૩ નાં પતરાં પણ લખ્યાં છે. અને તેને પુત્ર વટેશ્વર ભીમદેવનાં સંવત ૧૦૮૬ નાં કડીનાં પતરાંને લેખક છે. દતક મહત્તમ શિવરાજ છે. દાનમાં સત્યપુર–મંડલમાં વરણુક નામનું ગામ આપ્યું હતું. તેની સીમા-પૂર્વ ધણાર ગામ, દક્ષિણે ગુંડાઉ ગામ, પશ્ચિમે વેઢા અને ઉત્તરે મેત્રવાલ. સત્યપુર એ જોધપુર સ્ટેટનું હાલનું સાંચોર છે. મુન્શી દેવીપ્રસાદ કહે છે કે, જ્યાંથી પતરાં મળ્યાં છે તે હાલનાં બાલેરા ગામનું ( ઈંડીયન એટલાસ, શીટ ૨૧ એન. ડબ્લયુ; ૭૧° કર લે”, ૨૪° ૪૩ લેઃ) સ્થળ વરણુક છે. તેના આ મતને આધાર હું જાણતું નથી અને વરણુક માટે પૂર્વ દિશામાં ઘણે દૂર, ૭૨૩” લે.અને ૨૪°૪૯” લે. માં જ્યાં ગેડી ગામ છે, અને જે ગુંડાકિને મળતું આવે છે, ત્યાં આપણે શોધ કરવી જોઈએ એમ વધારે સંભવિત લાગે છે. ગેડીની ઉત્તરે મિરપુર ગામ છે. તે મેત્રવાલનું પાછળથી થયેલું રૂપ હય, જ્યારે વાયવ્ય કોણમાં આવેલું બેડાણ વેઢા હોય, અને ઈશાન કોણનું દંવારા ધણર હોય, એ સંભવિત છે. આ દાન અણહિલપાટક એટલે અણહિલવાડમાંથી આપ્યું હતું. ૧ એ. ઈ. વ. ૧૦, પા. ૭૬ પ્રો. સ્ટેનકેન ૨ વિએના જર્નલ . ૫ ૫, ૩૦૦ ૩ ઈ. એ. . ૫, ૧૯૬ વિગેરે ૪ ઈ. એ. વ. ૬ ૫,૧૯૨ ૫ ઈ. એ. વ. ૬ ૫. ૧૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy