SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌલુક્ય વંશના લેખો નં૧૩૭ મૂલરાજનું દાનપત્ર વિ. સ. ૧૦૪૩ માઘ વ. ૧૫ અણહિલવાડના ચૌલુક્યોનાં અગિયાર દાનપત્ર સંબંધી ઐતિહાસિક નેંધ રેવાકાંઠાના કામચલાઉ પિલિટીકલ એજન્ટ મેજર જે. ડબલ્યુ ટસને થોડા સમય પહેલાં મને ખબર આપી કે ગાયકવાડના ઉત્તર મહાલના મુખ્ય ગામ કડીની ગાયકવાડી કચેરીમાં કેટલાંક જૂનાં તામ્રપત્ર પડેલાં છે. ઓનરેબલ સર ઈ. સી. બેઈલીની વિનતિ ઉપરથી ગવર્નમેંટ ઓફ ઇંડીયાના ફેરીન સેક્રેટરી ડે નૈટને વડોદરાના એજન્ટ મારફત ગાયકવાડના દીવાન સર. ટી. માધવરાવ ઉપર વગ ચલાવી ૨૦ પતરાં એટલે કે નં૧ અને નં.૩ થી ૧૧ એમ લેખો પ્રસિદ્ધિ માટે મેળવી આપ્યા. નં. ૨ પાલનપુરના પે. એ. કર્નલ શેટે રાધનપુરના દરબાર પાસેથી મેળવી આપેલ. અત્યાર સુધીર અણહિલવાડના ચૌલુક્ય રાજાઓનાં ત્રણ દાનપત્ર પ્રસિદ્ધ થયાં છેઃ (૧) કુમારપાલનાં નાડેલનાં પતરાં (૨) ભીમદેવ ૧ લાનાં કચ્છનાં પતરાં (૩) ભીમદેવ બીજાનાં અમદાવાદનાં પતરાં." આટલાં સામટાં પતરાની શોધ તેટલા માટે ગુજરાતના ઇતિહાસ માટે બહુ ઉપયોગી છે. બીજા વંશના કરતાં આ વંશની દંતકથાઓ વધુ પ્રમાણમાં જૈન પંચાયત મારફત સુરક્ષિત રહેલ છે. તે પણ ઘણી ઐતિહાસિક હકીકત ઉપર હજુ વધુ અજવાળું પાડવાની જરૂર છે. આ વિશની ઉત્પત્તિ તથા મૂલરાજ કેવી રીતે ગાદીએ આવ્યો તે ચોક્કસ થયેલ નથી. રાજાઓની સંખ્યા પણ શંકાસ્પદ છે. ભીમદેવના લેખમાં ૪ થા રાજા વલ્લભને છોડી દીધું છે. મુસલમાન ગ્રંથકારેનું ગુજરાત ઉપર મહમુદ ગઝનવીની ચઢાઈનું વર્ણન જૈન ગ્રંથની સાથે બંધ બેસતું નથી. ભીમદેવ ૨ જાના રાજ્યને સમય અને વાઘેલા વંશની ઉત્પત્તિ સંબંધી પણ વિશેષ અજવાળું પાડવાની જરૂર છે. મી. કીલોક ફાર્બસની રાસમાળામાં આ બાબત બહુ જ જુજ માહિતી છે. કાર કે તેને સેમેશ્વરની કીર્તિકૌમુદી, રાજશેખરને પ્રબંધ કેશ અને હસ્તગણિનું વસ્તુ પાલચરિત ઉપલબ્ધ નહોતાં. આટલા માટે અહીં આ લેખેનાં અક્ષરાન્તર વિગેરે ઉપરાંત ઐતિહાસિક નોંધ મૂકવી જરૂરી છે. ગુજરાતના ઘણુંખરા જૈન કથાકાર લખે છે કે ગુજરાતને પહેલો ચૌલુક્ય રાજા, કનાજની રાજધાની કલ્યાણુમાં રાજક્ત ભુવનાદિયના દીકરા રાજથી તથા અણહિલવાડ પાટણના છેલ્લા ૧ ઈ. એ. વ. ૬ પા. ૧૮૦ છે. મ્યુલર ૨ ઈ. સ. ૧૮૭૭ ૩ ટોડ રાજસ્થાન છે. ૧ પા. ૭૦૭ ૪ ફેબસ. રાસમાળા , ૧ ૫.૬ ૫ કચછનો ઇતિહાસ આત્મારામ કે. ત્રિવેદીકૃત પા. ૧૭. ૬ અત્યાર સુધી નીચેના ગ્રંથ સુરક્ષિત છે (૧) હેમચંદ્ર અને અભય તિલકનો દ્વયાશ્રય કોશ. લખ્યો ઈ. સ. ૧૧૬૦ સુધાર્યો ઈ. સ. ૧૨૫૫-૫૬ (૨) સોમેશ્વરની કીતકૌમુદી ઈ.સ.૧૨૨૦૩૫ (૩) કૃષ્ણ ભટ્ટની રત્નમાલા ઈ. સ. ૧૨૩૦. (૪) મેરૂતુંગની પ્રબંધ ચિંતામણિ ઈ. સ.૧૩૦૮. (૫) મેરૂતુંગની વિચારણું ઈ. સ. ૧૩૧૦. (૬) રાજશેખરને પ્રબંધકોશ ઈ. સ. ૧૩૪૦ (૭) હર્ષગણિનું વસ્તુપાલચરિત ઈ. સ. ૧૪૪૦-૪૧. (૮) જનમંડનનું કુમારપાલચરિત ઈ. સ. ૧૪૩૫-૩૬ તથા તેમાંથી ગુજરાતી ઉતારો. છે. ૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy