SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયને જૂનાગઢને લેખ *ઈ. સ. ૧૮૭૬ માં બુલ્હરે પ્રથમ ભાષાન્તર તથા ફેટેગ્રાફ સાથે આ સ. વે. ઈ. . ૨ પ. ૧૪૦ અને લેટ ૧૧ ઉપર આ લેખ પ્રસિદ્ધ કર્યો હતે. બ્લેક જરા હાને અને અભ્યાસ સારૂ લગભગ નકામો છે. હાલમાં બાવા પ્યારાના મઠના નામથી ઓળખાતા મઠ પાસે જૂનાગઢથી પૂર્વમાં આવેલી મહાન ગુફાઓના જૂથ સામેના એકાદ ભોંયરામાંથી ખેદકામ ચાલતું હતું ત્યારે આ લેખ મળી આવ્યું છે. કે તાજા અકસ્માતને લીધે તેના બે ભાગ થઈ ગયા છે. ભાવનગરના સંસ્કૃત અને પ્રાકૃત લેખોના સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલી પ્રતિકૃતિમાં જે સ્થાને ફાટ જણાય છે તે જ સ્થળેથી કદાચ કકડા થયા હશે, એમ લાગે છે. કળી ચુનાના ગુણુવાળા નરમ અને ૨ ફૂટ લાંબા તથા પહેલા અને ૮ ઈંચ જાડા પત્થરની શિલાની સાફ કરેલી એક બાજુ ઉપર લેખ કોતરવામાં આવ્યું છે. તેમાં ચાર પંક્તિઓ છે. અને લગભગ ૧ ફૂટ ૯ ઇંચ પહોળી અને ૬ ઇં. ઉંચી જગ્યામાં લખાણ છે. ન, મ, ,, તથા બૂ, જેવા અક્ષરનું સરાસરી મા૫ ૨ છે. - લેખને ઘણે ખરે ભાગ બહુ જ ખરાબ થઈ ગયો છે. વચ્ચેની બે પંક્તિઓ સુરક્ષિત સ્થિતિમાં છે. પણ પહેલી પંક્તિને મોટો ભાગ અને ચોથી પંક્તિને થોડો ભાગ વાંચી શકાતે નથી. વળી લેખ પણ ખંડિત છે, કારણ પત્થરને કેટલોક ભાગ ભાંગી ગયો છે. બુહર માને છે કે બીજીથી ચોથી પંક્તિમાં ફકત છેલ્લા બેક શબ્દો સિવાય લેખ મૂળ સ્થિતિમાં જ છે. પરંતુ તે ચેકસ ન કહેવાય. રક્ષિત ભાગની બન્ને બાજુએ કેટલો ભાગ ગમે છે તે અમારા માનવા પ્રમાણે ચેકકસ રીતે કહી શકાય તેમ નથી. અમે એટલું તે કહી શકીએ કે બીજી અને ત્રિીજી પંક્તિઓના ભાંગી ગયેલા ભાગમાં જયદામનના પુત્ર તથા પત્રનાં નામ, તથા કદાચ શબ્દ અને આંકડા વડે બતાવેલ સંવત્ હૈ જોઇએ. રાજા ક્ષત્રપ જયદામનના પૌત્ર અને ચાષ્ટનના પ્રપૌત્ર એક ક્ષત્રપ અથવા મહાક્ષત્રપ રાજાના સમયનો આ લેખ હોવો જોઈએ. ભાંગી ગયેલા કકડા સાથે રાજ્ય કરતા રાજાનું નામ પણ ગયેલું છે. લેખમાં બતાવેલ ક્ષત્રપ દામસદ પહેલો અથવા સદ્રસિંહ પહેલો હોવો જોઈએ. લેઅને આશય સમજી શકાતો નથી, કારણ તે આશય બતાવનારો ભાગ ખોવાઈ ગયો છે. પરંતુ લેખમાં આવતાં “કેવલિજ્ઞાનસં( પ્રાપ્ત ) ( કેવલીનેનું જ્ઞાન પ્રાપ્ત કરેલ એ છે” વાકય ઉપરથી જૈન લોકો સાથે સંબંધ ધરાવતે આ લેખ હેય એવું અનુમાન કરી શકાય છે. કારણ જૈન સાહિત્યમાં “કેવલિન’ શબ્દને બહુ ઉપયોગ કરવામાં આવે છે. | તિથિ ચૈત્ર શુદ પ લખેલી છે. પરંતુ સંવત તે ભાગી ગયેલ હવાથી ચોકકસ થઈ શકે તેમ નથી. ગિરનાર પર્વત નીચે આવેલ જૂનાગઢનું અસલ નામ ગિરિનગર હતું, અને તેને ઉલ્લેખ લેખમાં છે. * એ. ઈ. સ. ૧૬ પા. ૨૩૯ બેનરજી અને સુકથંકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy