SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख ૧ જેણે લડાઈસિવાય પુરૂષને વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી પાળી હતી. જેને સામે આવેલા સામે વડીયા શત્રને પ્રહાર કરવાનું ન ચૂકીને... ... કરૂણ[બતાવી. પિતાથી આવેલ માણસેને તેમ જ પગે પડતાઓને આયુષરૂપી શરણું જેણે આપ્યું છે, જે પ્રદેશનાં શહેરે, બજાર અને ગામડાંઓમાં ચેર, સર્ષ, પશુ (જંગલી) અને રેગ વિગેરેને ત્રાસ નથી, જે પ્રદેશોમાં બધી પ્રજા તેને ચાહે છે અને જેમાં ધર્મ, અર્થ અને કામ તેના પરાકમથી (સાધી શકાય છે, તેવા પિતાના જ બાહુબળથી મેળવેલા પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનૂપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, અન્ન, મરૂ ક૭, સિન્ધ સૌવિર, કુકુર, અપરાન્ત, નિષાદ અને બીજા પ્રદેશને જે સ્વામી છે, | સર્વ ક્ષત્રિયમાં વીરત્વ બતાવવાથી ઉત્પન્ન થએલ મગરૂરીને લીધે તાબે થવા આનાકાની કરતા યૌધેયને જેણે જબરદસ્તીથી હણ્યા, - દક્ષિણ પથના સ્વામી શતકણિને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ રીતે બે વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઈને ન હણીને જેણે યશ મેળવ્યો છે, જેણે વિજય [ મેળ] . . પદભ્રષ્ટ થએલા રાજાઓને જે ફરી સ્થાપે છે, યથાર્થ રીતે હાથ ઉંચે કરીને જેણે ધર્મને અનુરાગ સંપાદન કર્યો છે; વ્યાકરણ, સંગીત, ન્યાય અને બીજાં મોટાં શાસ્ત્રને અભ્યાસ કરીને યાદ રાખીને, જ્ઞાન મેળવીને અને પ્રયોગ કરીને જેણે વિપુલ કીર્તિ મેળવી છે, જે • • • • ઘડા, હાથી અને રથચર્યા, તરવાર અને ઢાલને ઉપગ, કુસ્તી અને બીજાં ... ... ... . .. ત્વરાવાળાં કર્મ અને લશ્કરની સામે થવાની ઉસ્તાદી .. ... જેને, રાજ રાજ દાન અને માન આપવાની અને અપમાનને દાખવાની ( હલકું પાઠવાની ) ટેવ છે, - જેનું લય સ્થૂલ છે (જે ઉદાર છે) ખંડણી, કર અને ભાગ ન્યાયપુરઃસર પ્રાપ્ત કરવાથી જેનો ભંડાર સેનું રૂપું, હીરા વૈદ્રર્ય, ( અને બીજાં) રત્નથી ઉભરાઈ જાય છે, જે .... ... ... ... સ્કુટ લઘુ, મધુર, ચિત્ર અને કાન્ત અને શબ્દસંગથી અલંકૃત અને ઉત્તમ એવા ગદ્ય અને પદ્ય.. પ્રમાણ, માન ઉંચાઈ, સ્વર, ગતિ, વર્ણ બળ અને સત્વ વિગેરે ઉત્તમ લક્ષણ અને નિશાનીઓવાળું જેનું સુંદર શરીર છે, મહાક્ષત્રપ નામ જેણે પિતે પ્રાપ્ત કર્યું છે, રાજાઓની કન્યાના સ્વયંવરે વખ્ત જેને અનેક માળા પહેરાવાઈ છે તે મહાક્ષત્રપ રુદ્રદામાએ ... ... .. હજાર વર્ષ સુધી ગાયો અને બ્રાહ્મણે ... . . ને માટે અને ધર્મ અને કીતિની વૃદ્ધિની માટે, કર વેઠ અને નજરાણાં વિગેરેથી શહેરના તેમ જ ગામડાના લોકોને પીયા વગર પોતાના ભંડારમાંથી મોટી રકમથી (ખરચીને ) અને ઝાઝ વખત લીધા વગર લંબાઈ અને પહોળાઈમાં ત્રણગણ મજબુત એ બંધ બંધાવ્યા ... ... ... બધા તટ [ ઉપર] છે. આ તળાવને વધારે સુદર્શન (સારા દેખાવવાળું ) કર્યું. (૧૬) જ્યારે આ બાબતમાં મહાક્ષત્રપના મંત્રિઓ અને કારભારીઓ કે જેઓ અમાત્યના ગુણની બક્ષીસવાળાં હોવા છતાં ગાબડાના મોટા વિસ્તારને લઈને અનુત્સાહી મતિના હોવાથી આ કામના આરંભ સામે થયા અને જ્યારે ફરી બંધ બાંધવાની નાસીપાસીને લીધે પ્રજામાં હાહાકાર થઈ રહ્યો હતો ત્યારે શહેર અને ગામડાંની વસ્તીના લાભ માટે આખા આનર્ત અને સુરાષ્ટ્રના ઉપર રાજ્ય ચલાવવા માટે આ રાજ્યમાં રાજાથી નિમાયેલા કલપના પુત્ર અમાત્ય પહુવ સુવિશાખ, કે જેણે અર્થ અને ધર્મસંબંધી ગ્ય વ્યવહારને લીધે ( પ્રજાની ) પ્રીતિ વધારી હતી, જે શક્તિમાન, વૈર્યવાન, દ્રઢ મનવાળે, અભિમાન વિનાને, પ્રામાણિક, લાંચ ન લે તે હતું અને જેણે સારા કારભારથી પિતાના સ્વામીના ધર્મ, કીર્તિ અને યશ વધાર્યા હતાં એવા સુવિશાખે તે પાર પાડ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy