SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ન૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્રો ૨. સં. ૪૯૦ કાર્તિક સુ. ૧૫ ઈ. સ. ૭૪૦ આ તામ્રપત્રો સમ્બન્ધી એક લેખ વીએના ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વંચાયે હતું અને તેના રીપોર્ટમાં પા. ૨૩૦ મે પ્રસિદ્ધ થએલ છે. અસલ પતરાં અત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. આ દાનપત્રનાં કુલ બે પતરાં છે અને દરેકની એક બાજુએ ૨૫ પંક્તિઓ છે. પતરાં ૧૧૫ ઈંચ લાંબાં અને લો ઈંચ પહોળાં છે. પહેલા પતરામાં નીચે અને બીજામાં ઉપર લગભગ ૩ ઇંચ છેટે બે કાણું સીલ તેમ જ કડી માટે છે. પરંતુ સીલ તેમ જ કડી ઉપલબ્ધ નથી. અક્ષર જેકે બહુ ઊંડા નથી, પરંતુ કેતરકામ સંભાળપૂર્વક કરેલું છે અને લગભગ બને પતરાંસુરક્ષિત અને સ્પષ્ટ છે. લિપિ બીજાં ગુર્જર ચાલુક્ય યાશ્રય શીલાદિત્ય વિગેરેનાં તામ્રપત્રોમાંની લિપિને મળતી જ છે અને અક્ષરનું કદ સરેરાસ 2 ઇંચ છે. ભાષા સંસ્કૃત છે અને પ્રાસ્તાવિક ૧ શ્લેક તેમ જ છેવટે શાપાત્મક અમુક શ્લોકો સિવાય બધો ભાગ ગદ્યમાં છે. મંગળાચરણ તરીકે વિષશુના વરાહ અવતારની સ્તુતિ પછી વંશાવલી વિભાગ શરૂ થાય છે અને કીર્તિવર્મથી શરૂ કરી પુલકેશિ સુધીના રાજાઓનું ટુંકું ટુંકું વર્ણન છે. પં. ૬ સત્યાશ્રય શ્રી પૃથિવીવલ્લભ મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી કીર્તિવર્મરાજ તેનો દીકરો પં. ૧૧ સત્યાશ્રય શ્રી પુલકેશિ વલ્લભ તેને દીકરી પં. ૧૪ પં. માટે. ૫. ભટ્ટા. સત્યાશ્રય શ્રી વિક્રમાદિત્ય તેને ના ભાઈ ૫. ૧૭ ૫ મા ૫. ભ. ધરાશ્રય શ્રી જયસિંઘવર્મા તેને દીકરો પ. ૨૦ ૫. મા. ૫. ભ. જ્યાશ્રય શ્રી મંગલસરાજ તેને ના ભાઈ પં. ૨૧-૩૫ અવનિ જનાશ્રય શ્રી પુલકેશિરાજ પં. ૩૮-૩૯ આ જનાશ્રય પુલકેશ રાજાએ દાન આપેલું છે. દાન લેનાર વનવાસીમાંથી નીકળી આવેલે, વત્સત્રને તૈત્તિરિક શાખાન દ્વિવેદી બ્રાવાણ [અ] હદ હતા તે ગોવિન્દને દીકરો હતો. દાનમાં કામય આહારમાં પદ્રક ગામ આપેલું છે. તે બલિ, ચરૂ, વિશ્વદેવ અગ્નિહોત્ર ઇત્યાદિ કરવા માટે આપેલું છે. પં. ૪૯ સંવત્ (ચેદી ) ૪૮૦ કાર્તિક શુ. ૧૫ ને દિવસે દાન આપેલું છે. લેખક મહાસાન્વિવિગ્રહિક અને પાંચ મહાશબ્દ પ્રાપ્ત કરેલ સામન્ત બમ્પ હતું અને તેના પિતાનું નામ હરગ આપેલ છે. સ્તુતિ તથા પરાક્રમે ૧ વી. એ. કે. વી. આર્યન સેકશન પા. ૨૩૦. ૫. ૨૩-૩, જેમાં પુલકેશિની વાર્ણવ્યાં છે તે. મુ. ગે. ગુજરાત વો, ૧ પાર્ટ ૧ ૫. ૧૦૯ માં પણ આપેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy