SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ गुजरातना ऐतिहासिक लेख . તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતા. તેને પુત્ર [ શ્રી શીલાદિત્ય હતા ] અને પિતાના પિતાના પાદેનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અભુત સદ્ગોના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; - જેને અંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભષિત છે, જે [ રાજ્ય] કાર્યોને મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળો હોવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ્ર મેળવવા શક્તિમાન છે, જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેનો સદાચાર અતિ ઉમદા સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે, જેણે કૃતયુગના સર્વ નૃપના પંથ (માગે )ના વિરોધનથી મહાયશ પ્રાપ્ત કર્યો છે, જેણે ( ધર્મ ) ગુણના માર્ગ અનુસરીને સર્વથી ઉજજવળ લક્ષ્મી અને સુખને ઉપભોગ મેળવ્યું હતું, અને તેથી પોતાને માટે યોગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમમાહેશ્વર શ્રીશીલાદિત્ય હતો. તેને પુત્ર [ અનુજ એમ જોઈએ ], તેને પાદાનુધ્યાત; ઈન્દ્ર જેમ [ તેને અનુજ ] ઉપેન્દ્ર તરફ આદરથી વર્તતે તેમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અલી અતિવાંચ્છિત રાજ્યશ્રી, વૃષ જેમ ધુરી વહે છે તેમ, અંધ પર ધારવામાં જેનું ધૈર્ય આનંદ અથવા બેદથી ડગતું નહિ-કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા; જો કે તેનું પાદપીઠ પોતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન દુભાવે એવા મદથી મુક્ત હતું, જેના શત્રુઓ જેકે વિખ્યાત, પ્રબળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધને તેમણે ત્યજી દીધાં હતાં; જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના બળના દર્શનને પૂર્ણ નાશ કર્યો હતે દુષ્ટોના વિચારો રક્તા દ વડે અકલંકિત હોવાથી જેનું મન અતિ ઉન્નત હતું જેની શસ્ત્રકળા ( કૌશલ્ય ) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં; જેણે અનેક શત્રુપની લક્ષમી મેળવી પૂર્વના પરાક્રમી અને પ્રબળ તૃપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ પરમ માહેશ્વર ખરગ્રહ હતા. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત; જેણે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સમસ્ત વિદ્વાનેનાં હૃદય અતિ અનુરજ્યાં હતાં; જેણે, પિતાનાં બળ અને ઉદારતાથી, જે સમયે તેના શત્રુઓ સાવચેત ન હતા ત્યારે અરિ પક્ષની મહત્વાકાંક્ષાઓ રૂ૫ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ્ત્ર, કળા, અને લેકચતિના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનકારી પ્રકૃતિને હતું : જે અકૃતિમ નમ્ર હોવાથી જેને વિનય તેનું ભૂષણ બ હત; + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્ય પોતાની ગાદી પોતાના ભાઈની તરફેણમાં છોડી હતી અને તેને પિતાની જીંદગીમાં જ ગાદી અર્પણ કરી હતી અને પિતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજ્યલક્ષ્મી આપી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy