SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૮૨ શીલાદિત્ય ૩ જાનાં લુસડીનાં તામ્રપત્રો સંવત્ ૩૫૦ ફાલ્ગન વદિ ૩ (ઈ. સ. ૬૬૯-૭૦). નીચે આપેલા દાનની છાપ પ્રોફેસર બુલ્હરે ઉપરના બીજા પ્રસિદ્ધર્તાને આપી હતી. છે. બુલ્ડરને આ છાપ મી. વજેશંકર. જી. ઓઝા તરફથી દેવનાગરી પ્રતિલેખ તથા થેડી ગુજરાતીમાં લખેલી ટીકા સહિત આપવામાં આવી હતી. કાઠિવાડના ગોહિલવાડ પ્રાંતના મહુવા પરગણુમાં લુસડી ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ગાય બાંધવાના ખીલા ખેડવા કરેલા ખાડામાંથી આને મૂળ લેખ મળી આવ્યું હતું. આ લેખ બે તામ્રપત્રની અંદરની બાજુમાં કોતરેલ છે. આ પતરાંઓ, પહેલા પતરાના નિચેના ભાગમાંથી અને બીજા પતરાના ઉપરના ભાગમાંથી પસાર કરેલી, બે કડીઓથી જોડેલાં છે. [મી. વજેશંકરે કૃપા કરીને મૂળ પતરાંઓ મને તપાસવા માટે મોકલ્યાં હતાં. તે આ શરે ૧૫ ઈંચ પહળાં અને ૧૩૪ ઈંચ ઉંચાં છે. એમાંની એક કડી સાદી અને રેણુ દીધા વગરની છે. બીજી કડી જે ત્રાંબાના મોટા કકડાની બનેલી છે, પરંતુ હાલ કાપી નાંખી છે. તેના છેડા સામસામા વાળી દીધેલા છે, અને તે એક મોટી સુરક્ષિત મુદ્રા વડે જોડેલા છે. આના ઉપર ઉપસાવેલી એક લંબગોળાકૃતિની સપાટી ઉપર એક બાજોઠ ઉપર જમણી તરફ મુખ રાખી બેઠેલો નંદી કોતરેલો છે. તેની નીચે વલભી લિપિમાં મદદ લેખ છે. પતરાં બહુ જાડાં ન હોવાથી તથા કોતરકામ ઊંડું હોવાથી ઘણા અક્ષરો પતરાંની પાછળ દેખાય છે, ૪૨ થી ૪૯ મી પંક્તિઓ બીન સફાઈદાર રીતે કરેલી છે. તેમાં ઘણું અક્ષરો ટપકાટપકાવાળી પંક્તિ. એથી બતાવ્યા છે. બન્ને પતરાંનું વજન ૧૦ પૉડ; હાની કડીનું ૫ ઑસ, મુદ્રાવાળી કડીનું ૨ પડ ૭ ઑસ છે, કુલ વજન ૧૩ પડ છે. મૂળ પતરાં મેં સાફ કર્યું છે. અને પ્રતિલેખમાં મારી છાપ પ્રમાણે સુધારો કર્યો છે. . એચ.] અક્ષરોના કદમાં બહુ ફેર છે. વચ્ચેના અક્ષરે આદિ અને અંતના કરતાં લગભગ બમણું મોટા છે. લિપિ દક્ષિણ તરફના મુળાક્ષરોની છે, અને વલભીનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં દાનપત્રને મળતી આવે છે. આ દાનપત્ર “ખેટકમાં નાખેલી વિજયી છાવણીમાંથી” જાહેર થયું હતું. આ ખેટક તે હાલનું ખેડા, જ્યાંથી ઘણું દાને અપાયાં છે તે છે. તેમાં શીલાદિત્ય ૩ જા સુધીના વલભી રાજાઓની હંમેશની વંશાવળી આપી છે. બે વર્ષ પહેલાંના એક બીજા લેખ મુજબ, આમાં પણ રાજાને પરમમાહેશ્વર શિવાય બીજું સમ્રાટનું વિશેષણ લગાડેલું નથી. દાનનું ભાષાન્તર નીચે આપ્યું છેઃ દ્વીપ, એટલે પોર્ટુગીઝ લેકેના હાલના દીવના રહીશ ચતુર્વેદિન બે બ્રાહાણબંધુઓને આ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સોરઠમાં આવેલાં દસેક ગામમાં જમીનના ત્રણ ટુકડા તથા એક તળાવ તેઓને દાનમાં આપ્યાં હતાં. સીમાના વર્ણનમાં નીચેનાં ભૌગોલિક સ્થળોનાં નામ આવે છે? (૧) મધુમતી નદી, એટલે નિકલની ખાડી (વિ.જી.એ.] (૨) શિવત્રતૈજજનું ગામડું હાલનું સધા [વિ. જી. ઓ.]; (૩)મલ તળાવ; એટલે જીર્ણ થયેલું હાલ કેસલિલ કહેવાતું તળાવ [ વિ. જી. એ. ] (૪)માણેજિકા નદી એટલે હાલ સૂકાઈ ગયેલો માલન(?)ને પટ [વિ. જી. ઓ.] - દૂતક, રાજપુત્ર ધ્રુવસેને શીલાદિત્ય ૩ જાનું એક બીજું દાનપત્ર પણ અમલમાં આપ્યું હતું. લેખક શ્રીમદ્ અનહિલે ઉપર જણાવેલું બીજું દાનપત્ર પણ લખ્યું હતું, તથા ખરગ્રહ ૨ જા તથા ધ્રુવસેન ૩જા પાસે સેવા કરી હતી. તારીખ, [ગુસ-] સંવત્ ૩૫૦ એટલે ઈ. સ. ૬૬૯-૬૭૦ના ફાગુન વદિ ૩ની છે. ૧ એ. ઈ. . ૪ પા. ૭૪ વજેશંકર છે, એઝા તથા થી. વૉ. સ્ટાફબોટાઈ ૨ ( ઈ. એ. વા. ૧૧ ૫.૩૦૫) ૩ ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૯ ૪ ઈ. એ. વ. ૭ પા. ૭૬ અને એ, ઈ. છે. ૧ પા. ૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy