SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ वलभी दानपत्रनुं गोपनाथमांथी मळेलु पहेलु पतलं ભાષાંતર સ્વસ્તિ! વલભીપુરમાંથી મિત્રોનાં અને બળથી નમાવેલા શત્રુઓનાં મહાન અને અસંખ્ય સૈન્યના પ્રબળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કરનાર, પિતાના વિકમમાંથી ઉદ્ભવતા દાન, માન અને વિનયથી પ્રજાને અનુરાગ પ્રાપ્ત કરનાર, શરણ થએલા તૃપની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, અને અવિચ્છિન્ન રાજવંશવાળા ભટ્ટાર્કમાંથી, તેને પૌત્ર, માતપિતાનાં ચરણકમળને નમન કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓને ! મસ્ત માતંગોની ઘટા છેદી બળ પ્રકાશિત કરનાર, જેના પદનખની મહાન પ્રભા પિતાના પ્રતાપ વડે નમન કરતા શત્રુઓના મુગટના મણિની પ્રભા સાથે મળતી, સર્વ સ્મૃતિમાં જણાવેલ માર્ગનું યોગ્ય પાલન કરી પિતાની પ્રજાનાં મન અનુરંજિત કરીને રાજશબ્દ તેના પૂર્ણ અર્થમાં જેને સારી રીતે બંધબેસતે, જે સૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઈન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતો, શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉદ્યત હોવાથી સ્વાર્થ તૃણવત્ લેખી ત્યજી દેનાર, વિદ્વાને, બધુજને, અને મિત્રોનાં હદય અભિલાષ કરતાં અધિક આપીને પ્રસન્ન કરનાર, સકળ જગતને ગમન કરતા સાક્ષાત આનન્દરૂપ, પરમ માહેશ્વર ગુહસેન ઉતરી આવ્યો હતો. તેને પુત્ર, પોતાના પિતાના પદનમાંથી નીકળતા રશ્મિરૂપી ગંગાના જળમાં સર્વ પાપ ધોઈ નાંખનાર, અસંખ્ય મિત્રોના જીવિતનું પાલન કરતા પ્રતાપની અભિલાષથી તેની તરફ આકર્ષાએલા સર્વ સદ્ગુણસંપન્ન, નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા ( શિક્ષા )થી સર્વ ધનુર્ધરોને વિચિમત કરનાર, પિતાના પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મ દાન રક્ષનાર, પિતાની પ્રજાને હણનારાં સર્વ વિદ્ઘાને હરનાર, શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન, શત્રુઓના પક્ષમાંથી લક્ષમી હરી લઈને તેને ઉપગ કરવામાં દક્ષ વિકમવાળે, પિતાના પ્રતાપથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, અખિલ જગતને નકારી અને અતિ અદ્દભુત ગુણેના તેજથી સર્વ દિશા ભરનાર, અનેક યુદ્ધોના શદ્ધ તેજ અને સેનાપતિના તેજથી પ્રકાશિત કંધવાળા. અભિલાષના મહાભાર વહનાર, વિદ્યાના પર અને અપર ભાગના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિસંપન્ન હોવા છતાં કોઈની પાસેથી એક સુચનથી રહેલાઈથી પ્રસન્ન થાય તે, અગાધ ગાંભીર્યવાળા હૃદયવાળો હોવા છતાં અનેક સત્કાર્યોથી અતિ ઉમદા સ્વભાવ દર્શાવનાર, સત્યયુગના પર્વના નાના માર્ગ પર ગમન કરી મેર પ્રસરેલા યશવાળા, ધર્મકાર્યની સીમા કદાપિ ન ઉલંધી હોવાથી અધિક ઉજજવળ બનેલ લક્ષમી, સુખ, અને પ્રતાપના ઉપભેગથી ધર્માદિત્યનું વર્ણન આપતું નામ પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રી શીલાદિત્ય હતું. તેને ભાઈ અને પાદાનયોત, અન્ય ઉપેન્દ્ર સમાન અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હાઈપિતાના વડીલ બધુથી તેના સ્કપર મકાએલી રમ્ય અને અભિલાષિત રાજ્યશ્રીની ધરી, પિતાના બધુની અભિલાષાનું પાલન કરવાના આનન્દ માટે જ ફકત, સુખી વૃષભ જેમ ધારનાર, શ્રમ, સુખ કે પ્રેમથી જેની શાન્તિ સદા અસ્પેશિત હતી, તેના વિકમના પ્રતાપને નમન કરતા અનેક નૃપના મુગટનાં રત્નથી તેનું પાદપીઠ આવૃત હતું, છતાં જે અન્યનું અપમાન કરવાના લેશ માત્ર દેથી મુક્ત હતા, જે મદવાળાં પરાક્રમો માટે વિખ્યાત જનો પાસે ફકત નમન જ થવા દેતે, જે સકળ જગને આનકારી સર્વ ગુણોથી પૂર્ણ હતો, જેણે કલિયુગના સર્વે માર્ગ બળથી હાંકી મુક્યા હતા, જેનું અતિ ઉમદા હય દુર્ટોમાં સદા જણાતા દોષોમાંના એક પણ દેષથી નિત્ય મુકત હતું, જેણે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રના પ્રાગમાં મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુ નૃપની લક્ષમી હરી લઈને પિતાને પરાક્રમી પુરુષોમાં પ્રથમ સાબીત કર્યો હતો તે પઅમાહેશ્વર શ્રી ખરગ્રહ હતા. તેના પછી તેને પુત્ર, અને પાદાનુધ્યાત, સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનના પરમ સંતાષરુપ, અવ્યવસ્થિત અને અનિયમિત શત્રુઓના મનોરથરુપી રથની ધરીને બળ, દાન, અને ઉદારતાથી ભાંગી નાખનાર, લેકચરિત (જાતના અન્તર વિષય), સર્વ કળા અને વિદ્યાથી અતિ પરિચિત હોવા છતાં અતિ આનન્દી સ્વભાવવાળે, અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત, પિતાના વિશ્વાસ સંપન્ન અને અનેક યુદ્ધમાં વિજયુદવજ હરી લેનાર કરથી સર્વ શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કરનાર, જેની આજ્ઞા તુતિ પામી હતી ... ... ... ... ... ... .. • Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy