SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૪૯ ધરસેન ૨ જાના એક દાનપત્રનું પહેલું પતરું આ પતરાના નીચેના બે ખુણાઓ ભાંગેલા છે. પણ તે સિવાય એ સારી સ્થિતિમાં છે. તેનું માપ ”x૧ર” છે. તેમાં ૧૯ પંક્તિઓ લખેલ છે, અને આ લેખ વ્યાકરણની ભૂલ વગરને છે. દાનપત્ર વલભીમાંથી જાહેર કરવામાં આવ્યું હતું. ધરસેન ૨ જાના પ્રાસ્તાવિક વર્ણનના ભાગથી આ લેખ પૂરો થાય છે. પરંતુ દાનપત્ર તે જ રાજાનું છે એમાં સંશય નથી. કારણ કે તેને પ્રસ્તાવનાને ભાગ, વંશના સ્થાપક ભટ્ટારકથી શરૂ કરી ધરસેન ૨ જા પછી આવતા શીલાદિત્ય 1 લાના સમયનાં દાનપત્રોમાં જણાયું છે. તેમ, કંઈ પણ ઓછું કર્યા સિવાય, સંપૂર્ણ વંશાવળી આપે છે. ધરસેન ૨ જાનાં દાનપત્રો પછીનાં બધાં દાનપત્રમાં ગુહસેનનું નામ ભટ્ટારક પછી વંશાવળીમાં તરતજ આવે છે, જ્યારે વચ્ચેના ચાર રાજાઓ, ધરસેન ૧, કોણસિંહ, ધ્રુવસેન ૧ અને ધરપદ(અથવા ધરપટ્ટ )નાં નામે તદ્દન છોડી દેવામાં આવ્યાં છે. માટે આ દાનપત્રમાં ધરસન ૨ જાના વર્ણનનો ભાગ (તેનાં નામ શિવાય) પહેલા પતરામાં આવતો હોવાથી, તેણે જ તે જાહેર કરેલું હોવું જોઈએ. અને જે દૈવાગે બીજું પતરું મળી આવે તે આ બાબત ચક્કસ તેમ જ છે, એવું માલુમ પડશે. વળી, આ દાનપત્ર ધરસેન ૨ જાને રાજ્યના પ્રથમ સમયનું છે, એમ પણ બતાવી શકાય છે. કારણ કે, આ રાજાના આરંભકાળનાં દાનપત્ર એટલે, સં. ૨૪૮ અને ૨૫રનાં વલભીમાંથી જાહેર કરાયેલાં છે, અને પછીનાં દાનપત્રો, એટલે સં. ૨૬૯ અને ૨૭૦ નાં ભદ્રપટ્ટન નામની લશ્કરી છાવણીમાંથી જાહેર થયાં છે. આ દાનપત્ર વલભીમાંથી જાહેર થયું હતું તેથી તે તેના રાજ્યના આરંભકાળનું હોવાનો ઘણે સંભવ છે. *જ, બે. બા. રે. એ. સે. ન્યુ. સો. વે. પા ૨૪ ડી. બી. દિપકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy