SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રથમવૃત્તિના પ્રકાશકનું નમ્ર નિવેદન महादेव्याः कुक्षिरत्न, शब्दजितवरात्मजम् । - સાવરજૂહું વંદે, તરવસ્ત્રોવનદાચમ્ આજે આ “શ્રીમદ્ રાજચન્દ્ર કાવ્ય-અમૃત-ઝરણાં, (ભાવાર્થ સહિત), જિજ્ઞાસુ મુમુક્ષુઓ, સાધકે તેમજ અધ્યાત્મરસિક ભવ્યેના કરકમળમાં આવી રહ્યું છે. તે ખરેખર એક મહદ્ભાગ્ય અને અતિ આનંદનો પ્રસંગ છે. તત્વજ્ઞ શિરોમણિ, અપૂર્વ ભાવ નિગ્રંથ દશામાં વિચરતા, વ્યવહારમાં બેઠા જણાતા છતાં અંતરંગ ચગીશ્વર, પરમ વિદેહી, એવા એ પરમ કારુણ્યમૂર્તિ, પરમ ઉપકારી શ્રીમદ્ રાજચંદ્રજીનાં અમૃત ઝરણાં સમાન કાળે અને તેના અલૌકિક દષ્ટિએલખાયેલા ભાવાર્થ આ અનુપમ ગ્રંથમાં આપવામાં આવેલ છે. - આ પુસ્તકને પૂર્વ પરિચય અને તેની અગત્યતા લેખકે સ્વયં પિતાની પ્રસ્તાવનામાં યથાતથ્ય સંપૂર્ણ રીતે આપેલ છે. તેથી તેમાં વિશેષ લખવાની આવશ્યક્તા રહેતી નથી. - આજે અધ્યાત્મવાદ, આત્મા સંબંધી વિચારે પ્રાયે લુપ્ત થઈ જઈ માત્ર રૂઢિ, અંધશ્રદ્ધા, કે ગાડરિયા પ્રવાહરૂપ જે પ્રવર્તન થઈ રહ્યું છે, તેને કેઈ અલૌકિક રીતિએ દૂર કરી, વિચારશીલ આત્માઓની વૃત્તિ મતમતાન્તર રહિત કરી,મિથ્યા કદાગ્રહથી મુક્ત કરી, સૌ કોઈને અલૌકિક વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિચાર કરતા કરી મૂકે એવાં આ પરમ પુરુષ શ્રીમદ્ રાજચન્દ્રજીનાં કાવ્ય-અમૃત-ઝરણું (ભાવાર્થ સહિત) વાચક વૃન્દને અમૃત ઝરણુંના રસાસ્વાદ કરાવવામાં સફળ નીવડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy