SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના અને પછી તે સંવત ૧૯૪૪ના મહા સુદ બારશને રેજ શ્રીમદ્ રાજચંદ્રનાં લગ્ન ઝબકબાઈ સાથે થાય છે. ઝબકબાઈ ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મેટાભાઈ પટલાલભાઈનાં સુપુત્રી હતાં. તે આમ તે શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા, પરંતુ સાથે સાથે તેઓ તીવ્ર આત્મમંથનમાંથી પણ પસાર થતા હતા. ત્યાગ, વૈરાગ્ય, નિર્લેપતા અને તત્ત્વજિજ્ઞાસા તેમનામાં પ્રબળપણે જાગ્રત થતાં જતાં હતાં. લગ્ન પછી એકાદ વર્ષે લખેલા એક લેખ “સ્ત્રીના સંબંધમાં મારા વિચારમાં શ્રીમદ્દ જણાવે છેઃ અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંગસુખ ભેગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને ગ્ય ભૂમિકાને પણ ગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે તે પદાર્થો તે તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, બેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાને દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે કે શી આ ભુલવણી? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી. અને સુખ હેય તે તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુએ, એટલે માત્ર મેહદશાને લીધે તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy