SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જેના ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાન થયાં. વણિકભૂષણ કવિરાજ તરીકે ખ્યાતિ પામેલા શ્રીમને પણ અષ્ટાવધાનેનું નિરીક્ષણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીમની સ્મરણશક્તિ અભુત તે હતી જ. એટલે તેમણે અષ્ટાવધાન જોયાં કે તરત શીખી લીધાં. બીજે દિવસે વસંતબાગમાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઈ અવધાન કરી બતાવ્યાં. ત્યાર પછી બે હજાર પ્રેક્ષકે સમક્ષ બાર અવધાન કરી બતાવ્યાં! એ સમય દરમ્યાન મુંબઈના શેઠ લક્ષમીદાસ ખીમજીભાઈ મેરબીમાં આવ્યા હતા. તેમને હાઈસ્કૂલમાં માટી સભા ભરીને શ્રીમદે બાર અવધાન કરી બતાવ્યાં. તેમની આવી અદ્ભુત શક્તિ જોઈને શેઠ લક્ષ્મીદાસે કહ્યું: “આ વખતે હિંદ ખાતે તે આ એક જ પુરુષ આટલી શક્તિવાળા છે. તે પ્રસંગે શ્રીમદને સારું એવું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. - ત્યાર બાદ શ્રીમદ્ પિતાના અંગત કામ અંગે જામનગર ગયા હતા. ત્યાં તેમણે વિદ્વાનની બે સભાઓમાં અનુક્રમે બાર અને સેળ અવધાને કરી બતાવ્યાં. બધા પ્રેક્ષકે મુગ્ધ બની ગયા. અહીં તેમને ‘હિંદના હીરા” તરીકેનું બિરુદ અર્પણ કરવામાં આવ્યું. તે વખતે જામનગરમાં બે વિદ્વાને આઠ દશ વર્ષથી અવધાન કરવા માટે તનતોડ મથામણ કરતા હતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy