SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાનો પ્રકારનાં સંસારી મેજા, અનંત દુઃખનું મૂળ, એ બધાંને અનેક પ્રકારે મને અનુભવ થયે છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકએ જે જે વિચારે કર્યા છે, તે જાતિના અનેક વિચારે તે અ૫ વયમાં મેં કરેલા છે. મહાન ચકવતએ કરેલા તૃષ્ણાના વિચાર, અને એક નિઃસ્પૃહી મહાત્માએ કરેલા નિઃસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અ૫ વયમાં મહત્વ વિચાર કરી નાખ્યા છે; મહતું વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે.” પુનર્જન્મની પ્રત્યક્ષ અનુભૂતિ વિના આટલી નાની વયે જીવનની આટલી વિપુલ વ્યાપકતા સંભવે નહિ. તદુપરાંત, સં. ૧૯૪૬ના ભાદરવા સુદ છઠના પત્રમાં શ્રીમદે રજૂ કરેલી વિચારણા પૂર્વભવના સ્મરણનું જ્ઞાન તેમને હતું એ વાતનું સમર્થન કરે છે ? અંતર્ગાનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતે નથી વા સાંભરતું નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હેય; અને એ વડે “સમાધિ” ન ભૂલ્ય હેય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. “વળી સ્મરણ થાય છે કે, એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જી પરત્વે ક્રોધ કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy