SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીમદ્દના સમાગમમાં દવે પ્રકાશવા લાગે એટલે તેના તરફ આજુબાજુથી પતંગિયાં આકર્ષાય છે, એ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રમાં સાચી ધર્મ સ્થિતિ ઉદય પામતાં જ તેમની તરફ ગૃહસ્થ, સાધુ એમ બધા વર્ગનાં મુમુક્ષુ, જિજ્ઞાસુ માણસે ખેંચાવા લાગ્યાં. પિતે સંપૂર્ણતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બહાર ન આવવાની તેમની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેમને પ્રબળ પુરુષાર્થ અને ઉજજવળ જ્ઞાનપ્રકાશ ઢાંક્યાં ઢંકાઈ ન રહ્યાં. પરિણામે શ્રીમદ્દનું ભક્તમંડળ વધતું જ ગયું. કઈ પણ વ્યક્તિની સાચી મહત્તાની કસોટી કરવાનાં અનેક સાધનેમાંથી એક મુખ્ય સાધન, એ વ્યક્તિએ આજુબાજુનાં મનુષ્ય ઉપર કેટલી વ્યાપક અને ચિરંજીવી અસર પાડી છે, એ કેટલાનાં જીવનમાં ઓતપ્રોત બની ગઈ છે, કેટલી પ્રેરણારૂપ થઈ છે, એ ગણાય છે. એટલે શ્રીમદ્ રાજચંદ્રને સાચે પરિચય મેળવવા ઈચ્છનાર જિજ્ઞાસુએ શ્રીમદ્દના પરિચયમાં આવેલા માણસે તેમના પ્રત્યે કે ભક્તિભાવ રાખતાં હતાં, તેમને વિશે શું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy