SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ વિજ્ઞાન કહે તે જ સાચું અથવા તે અમુક વ્યક્તિનું સર્વ કાંઈ મિથ્યાતત્ત્વથી દૂરને દૂર રાખે છે. કેટલાક વધારે પડતા આશાવાદી હાય છે તે કેટલાક વધારે પડતા નિરાશાવાદી હોય છે, કેટલાકની વૃત્તિ કેવળ શ્રદ્ધાપ્રધાન હોય છે તો કેટલાક બુદ્ધિના અટ્ઠ'કારમાં જ ખેચાયે જ જાય છે. કેટલાકને પૂથી આવેલું બધું સારું લાગે છે ા કેટલાક પશ્ચિમનો પ્રજામાં જ સત્યના ઉત્કર્ષ સમજે છે. કેટલાક કારણ વિના અમુક જાતિને અથવા તે અમુક પ્રાન્તની પ્રજાને ખૂબ ચડિયાતી માને છે, તેા કેટલાક તેને ઊતરતી માને છે. આવા વિવિધ પ્રકારના પૂર્વગ્રહોથી મનને, બુદ્ધિને, છૂટી કરવી અને સમ્યગ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર વડે સતત અભ્યાસ, અવલોકન અને મનન વડે સત્ય વિચારને–સમ્યક્ દષ્ટિને-પામવી એ જ ખરું વિચારસ્વાતંત્ર્ય છે. વાણીસ્વાતંત્ર્ય એટલે જીવનને લગતા, સમાજને લગતા, દેશ અને ધર્મને લગતા પોતપોતાને સૂઝતા વિચારા જાહેરમાં પ્રગટ કરવાની છૂટ. વિચારસ્વાતંત્ર્ય–અર્થે સમ્યક્ દષ્ટિની પ્રાપ્તિ અર્થે વાણી સ્વાતંત્ર્ય અતિ આવશ્યક છે. આપણે અન્યના વિચારશ જાણીએ નહિં, અન્યનું દષ્ટિબિન્દુ સમજીએ નહિ ત્યાં સુધી આપણા વિચારમાં રહેલા સત્યાસત્યની આપણે તારવણી કરી શકીએ નહિ. દરેક માણસને પોતાના વિચારો પ્રગટ કરવાની પૂરી છૂટ હોવી જ જોઈ એ. પ્રજામાનસનું આરેાગ્ય જાળવવાના તે એક જ ઉપાય છે. કોઈના વિચારા રુંધવાની આપણને વૃત્તિ થવી એટલે સમજવું કે આપણી વિચારશ્રેણીમાં કોઈ છિદ્ર છે તે ખુલ્લુ પડવાના ભયથી આપણે અન્યના વિચારને રાકવા માંગીએ છીએ. પરસ્પર વિચારાની છૂટથી આપ-લે થતાં સામાન્ય પ્રજાની સાચુ ખાટું તારવવાની શક્તિ ખીલે છે અને સમાજ આગળ વધવાનુ મુળ પ્રાપ્ત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy