SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ વ્યુત્પત્તિ-સંશેાધક : સંસ્કૃતમાં સાહિત્ય, કાવ્ય, કષ, ઉપરાંત વ્યાકરણના પણ એ ઊંડા અભ્યાસી હતા. સ્વતંત્ર દૃષ્ટા પણ હતા. જ્ઞાનપ્રભાવે પ્રમાણભૂત મનાતા માટે સંસ્કૃત કોષમાંથી તેમજ “જોડણીકેશમાંથી પણ ક્ષતિષ બતાવતા હતા. તેઓ પોતાના લખાણમાં એકાદ હસ્વ-દીર્ઘ કે કાનામાત્રાની ભૂલ પણ બરદાસ્ત કરી શકતા નહિ. ભાષા પ્રભુત્વ : એમની ભાષા સરલ-મધુર અને પ્રાસાદિક હોવા છતાં એમના શબ્દમાં એક પ્રકારને જોશ રહેતો. તેજસ્વી શબ્દ પ્રેમની જીભે રમતા અને હૃદયના ઉચભાવ વ્યક્ત કરતા અને દિલને સ્પર્શ કરતા, જે નવનવા તેજસ્વી શબ્દસમૂહેથી વિદ્વાનો મુગ્ધ બની જતા, ગુજરાતના મહાન વૈદરાજ શ્રી નરભેરામ જાદવજી તે એમની ભાષા અને તેજસ્વી શબ્દથી એટલા બધા આકર્ષાયા હતા કે તેમણે તેમના બધા પુસ્તકેને આસ્વાદ લીધા હતા. સાગર જેવી ઉદારતા: આવું ઊંડું જ્ઞાન અને અગાધ પાંડે હાવા સાથે એ ઉદાર મનના મહાત્મા હતા. મુનિથી કરતા કેટલાક વિશેષ વિદ્વાન હશે, કેટલાક તપ-ચારિત્ર્યમાં શ્રેષ્ઠ ગણતા હશે પણ સર્વધર્મ સમભાવભરી જે વ્યાપક અને ઉદાર-ઉદ્દાત્ત દષ્ટિ મુનિજીમાં હતી એવી દૃષ્ટિ ભાગ્યે જ કોઈ અન્ય મુનિમાં જોવા મળશે. આને લીધે જૈનેતર પંડિતો પણ એમના તરફ વિશેષ આકર્ષાતા રહેતા. અનેકાંતવાદના એ ખરેખર વ્યવહારુ પ્રણેતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy