SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ એવી તે ખેચરોની વિજ્ઞાપનાને યાદવેંદ્ર જે શ્રીકૃષ્ણ-તે હૃદય વિષે ધારણ કરી પૂર્વે વૈતાઢચપર્યંતનેવિષે કરેલા પરાક્રમે કરી પ્રસિદ્ણુ પામનાગ એવા વસુદેવને તે વિદ્યાધરોનો પરાજય કરવા માટે મોકલતા હવા; અને તે પ્રસ્થાન કરનારા વસુદેવની સાથે નયસંપાદન કરવા માટે પ્રધુમ્ર અને સાંબ–એ નામના પોતાના બે પુત્રોને, અને સંપૂર્ણ તે ખેંચરોને મોકલતા હવા. તે સમયે હર્ષયુકત એવા અશ્થિમિમ્બે, શત્રુઓના આયુધોના સમુદાયનો ધાત કરનારી, મેરૂ પર્વતનેવિષે ઉત્પન્ન થઅલી, અને દેવોએ પોતાના બાહુઓનેવિષે પૂર્વે બંધન કરેલી એવી મહીષધી-તે પ્રસ્થાન કરનારા વાસુદેવના બાહુનેવિષે પોતાને હાથે કરી બાંધી. ત્યાર પછી વિજય યાત્રાનેવિષે વસુદેવ ત્વરિત નીકળી ગયો છતાં, અહીંયાં ઇંદ્રનો સારથિ જે માલિ તે, નેમીર ભગવાનપ્રત્યે આવીને ભાષણ કરતો હવા માતલિ—હે સ્વામિન, ઇંદ્રે પોતાની પાસે ખોલાવી મતે એવી આજ્ઞા કરી છેકે “બાવીરામા તીર્થંકર જે શ્રી નેમિનાથ, તે સાંપ્રતકાળે પોતાના બાંધવ જે શ્રીકૃષ્ણ-તેમના કાર્યમાટે યુદ્ધ કરવાની ઇચ્છા ધારણ કરનારા છે; એ માટે દિવ્યાસ્ત્રોના સમુદાયે કરી સંપૂર્ણ, અને જેણે રાત્રુઓના સંપૂર્ણ મનોરથો ભંગ કરવા છે એવો, અને વજ્રમય કવચ્ચે યુક્ત, એવા સ્થને લઈને તું તે નમીશ્વર ભગવાનપ્રત્યે શીધ્ર ગમન કર એવી ઈંટની વાર્ણીએ કરી હું રથ ચેઇન તમારી પાસે આવ્યોછું. એ માટૅ ગુણોએ કરી શ્રેષ્ઠ એવા પુરૂષોએ આરોહણ કરવા માટે યોગ્ય એવા આ સ્થવિષે તમે આરોહણ કરશે. એવી તે માતલિની પ્રાર્થનાને તે નેમિ પ્રભુ કૃતાર્થ કરતો હવો. અર્થાત્ તે રથ ઉપર આરોહણ કરતો હવા. પછી જેનો ઉત્તમ પ્રકારનો બાહુસ્ફોટ છે, એવા ઉત્તમ વીરો જેને વિષે છે, અને ખળાચ એવા હસ્તિઓ જેનેવિષે મહા ગર્જના કરેછે, અને ઉત્પત, એવા તે બંને સેનાના ન્યૂડ પરસ્પર યુદુકરવામાટે નીકળતા હવા. તે સમયે અશ્વોના હણહણાટ શબ્દોએ કરી પુષ્ટ, અને હસ્તિઓની ગજૈનાએ કરી લોકોને પીડા ઉત્પન્ન કરનારા એવા તે બંને સેનાસંબંધી વાદ્યોના શબ્દો આકાશને પણ બહેરું કરતા હવા. તે સમયે રણવાદ્યોના નાદે કરી જેઓને દ્વિગુણી ઉત્સાહસંપત્તિ પ્રાપ્તથઈ છે, એવા શૂરપુરૂષોના ધારણ કરેલા વજ્રકલચોના સાંધા સેંકડો પ્રકારે કરી તૂટવા લાગ્યા. તે સમયે શ્રીકૃષ્ણ અને અર્જુન-એ બંને, કીર્તિ વર્ણન કરનારા ભાટેજ હોયના! એવા જેઓના મધુર શબ્દોછે, એવા પાંચજન્ય અને દેવદત્ત નામક શંખોને વગાડતા હવા. ત્યાર પછી બંને વ્યૂહનેવિષે રહેનારી, અને પરસ્પરને જીતવાની ઈચ્છા કરનારી, એવી તે અંતે સેનાનો ભયંકર સંગ્રામ ઉત્પન્ન થયો. તે સમયે સર્વે ઠેકાણે જેઓએ સૂર્યકિરણોનો સમુદાય અત્યંત પ્રાશન કરચોછે, એવાં તે બંને સેનાનાં પ્રસરનારાં ખા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy