SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ છે. દુર્યોધનને ચેતના સંપાદન કરીને ત્યારપછી આનંદયુક્ત એવા તે દુર્યોધનના મુખ આગળ તે છે ત્રણે જણા, આણેલાં મસ્તકોને સ્થાપન કરતા હવા. તે સમયે “તે મસ્તકો કોનાં છે એ ઓળ- ર ખાય નહીં, તે માટે મહાપરાક્રમી એવા તે અશ્વત્થામાદિક, તતક્ષણ અરણીના કાષ્ટને મંથન કરી છે. જેણે સંપૂર્ણ ભૂતળને પ્રકાશ કરે છે એવા અગ્નિના પ્રકાશને ઉત્પન્ન કરતા હતા. અને દુર્યોધન કાર્ડ નપ્રત્યે ભાષણ કરતા હતા કે “હે ભૂમિપતે, અમોએ છેદન કરેલાં અને તારા મુખ આગળ છે અણીને મૂકેલાં એવાં આ પાંડવોનાં મસ્તકોને ક્ષણમાત્ર અવલોકન કરી તું આનંદયુકત થા. એ પ્રમાણેની તે અશ્વત્થામાદિકોની વાણીએ કરી જેની વ્યથા કિંચિત નાશ પામી છે . એવે તે દુર્યોધન, ભૂમિથી પોતાનું મસ્તક ઊંચુ કરીને તે મસ્તકોને ઉત્તમ પ્રકારે કરી અવલોકન કરતે હો. તે સમયે તે દુર્યોધન, “એ મસ્તકો પાંડવોનાં નથી એવું જોઈને જેની મુખકાંતિ શ્યામવર્ણ થઈ છે, એવો હોતો થકો દીર્ધ શ્વાસોશ્વાસ નાખીને ફરી પણ અકસ્માત મિતળને વિષે પતન પામ્યો; અને તે ત્રણે જણાઓ પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. લ્યોધન–અરે મૂખી, તમોને ધિક્કાર છે. તમારું આ શું પરાક્રમ!! તમોએ નિશ્ચય કરી ( સ્તનપાન કરનાર સરખા એટલે દુધમુખ એવા આ, દ્રૌપદીના પુત્રને જ માન્યા છે. તે દુર ) પાંચ પાંડવો તે નિકરી કોઇપણ ઠેકાણે અખંડિતજ છે. અરે માાં તે ભાગ્ય ક્યાં? કે જે ભાગ્યે કરી મરણ પામેલા પાંડવોને હું ઊ! એવી રીતે મંદમંદ ભાષણ કરનાર અને તત્કાળ ફરી પ્રાપ્ત થનારી જે મૂછ-તેના ભારે કરી વ્યાકુળ થએલો એવો જે દુર્યોધન-તેને અશ્વત્થામા- વી કિના ફરપણાથી ભય પામેલો જ હોયના એવા તે દુર્યોધનના પ્રાણ પણ પરિત્યાગ કરો. અર્થાત તે સમયે શત્રને પરાભવ જેવાને માટે નિરાશ એ દુર્યોધન, પ્રાણ છોડતો હવો. ત્યાર પછી “આગળ શું કરવું એવિષે જેઓની મૂઢ બુદ્ધિ છે એવા અને જેઓને પાંડ- તે વથી ભય પ્રાપ્ત થયો છે એવા તે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા-એ ત્રણે જણાઓ, તેવી Gી મરણ સ્થિતિને પામનાર દુર્યોધનને પરિત્યાગ કરતા હવા; અને પરસ્પર એકબીજા પ્રત્યે જેવા માટે પણ અત્યંત લાજ પામનારા, અને નિઘકર્મના યોગે કરી જેઓનાં ચિત્ત અત્યંત ખિન્ન છેએવા તે અશ્વત્થામાદિક કહીં કહી જૂદે જૂદે ઠેકાણે ગમન કરતા હવા. અહીંયાં રવ પાંડવોનો યુદ્ધને આવી રીતિએ થએલો જે વૃત્તાંત તેને જાણનાર એ હ નિપુણ સંય, હસ્તિનાપુરમાં જઈ સ્ત્રી જે ગાંધારી, તે સહિત ધૃતરાષ્ટ્ર રાજાને કહેતો હવો. તે . સમયે કર્ણસ્થાનનેવિષે વજપાતના સરખો લાગનારો જે તે વૃત્તાંત તેને સાંભળીને ગાંધારી અને ધ્રુતરાષ્ટ-એ બને અકસ્માત મૂર્છાને પામતાં હવાં. તે સમયે શેકરૂપ અગ્નિએ દહન થનારું તે જે અસ્થિઓ-તેઓના તડતડાટ શબ્દસર તે ધૃતરાષ્ટ્રના પરિવાર લોકોનો પણ અતિ મહાન છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy