SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ છે તે મને એ બાણ લેતાં વારે તું નરેદ નથી, દેવંદ નથી કે ખેદ નથી. તે કારણથી તારી સામે ધનુષ્ય ઊઠવતાં મારા ધનુષ્યને લજજા થાય છે. ભિલ– સૌમ્ય, તું મિથ્યા વિવાદ શામાટે કરે છે? મોટા મોટા કુકુ આટા મારીને સર્પ ગરૂડને શું કરવાનો છે? તું તારું શૂરવીરપણું હવે ત્યાગીશ નહીં. એવું કહી તે બળવાન ભિલે અર્જુન સામા પોતાનું બાણ અનુસંધાન કર્યું, તેનું સર્વ સાંભળી લઈ અર્જુન પછી ધીમે ધીમે પોતાના ધનુષ્યમાં વરાહના રકતે લાલ એવા બાણને સંધાન છે કરતો હશે. તે સમયે અહંકાર સહીત ધનુષ્યટંકાર કરી અર્જુન અને તે ભિલ જાણે યુગાંત થતો હેયના? એવું મહાયુદ્ધ કરવા લાગ્યા. વળી તે સમયે હાથી ઘોડાના સૈન્ય કરીને તે જિલ્લ યુક્ત થયો. તે સેનાના પ્રતિભા ઉપર અર્જુને બાણ મૂક્યાં જેથી કરી તેજક્ષણે તેઓની અવ્ય વસ્થા થઈ અને તે સૈન્ય ક્યાં ગયું તે પણ જણાયું નહીં. સૈન્યના ભંગાણ પછી તે ભિક્ષે પોતાનું Cી યુદ્ધકૌશલ્ય અર્જુનને બતાવ્યું. વ્યોમચારીઓ વૈમાનમાં બેશી અર્જુનનું અને ભિક્ષનું યુદ્ધ કર્યું જોવા લાગ્યા, તે સમયે આકાશની શોભા એક સરોવર જેવી બની રહી હતી, તેમાં દેવતારૂપી છે. કમળ ખીલી રહ્યાં હતાં અર્જુન જે બાણ મૂકે તે બાણને તે ભિલ અર્ધ માર્ગ આવતાંજ ખંડિત (2 કરે, તે જોઈ અર્જુનના મનોર્થ પણ નિશ્વાસ લેવા લાગ્યા. પછી અને મોટું તેજપુંજ અન્યાસ ) બાણ છોડ્યું. તે બાણના પ્રભાવે કરી સર્વસ્થળે અગ્નિને પ્રસાર થયો, તેને સમાવવા સારું જાણે છે. વર્ષાકાળનો મેઘ વરસતો હોયના! એવું વરૂણાસ્ત્ર ભિલે સામુ મૂકવું. શાસ્ત્રાસ્ત્રમાં તેને દુર્નિવાર ) જણું અર્જુન ધનુષ્ય બાણ તજીને તેની સાથે મુષ્ટામુષ્ટિએ કરી યુદ્ધ કરવા પ્રવર્તે થયો. કળાનિધિ ભિલે પણ ધનુષ મૂકી દઈ અર્જુનની સાથે મુણિયુદ્ધ કરવા આરંભ કર્યો. મદે કરી ઉન્મત્ત થએલા તે બંને, ભૂજાઓનું આસ્ફોટન કરવા લાગ્યા, તેના ટંકાર તે જાણે પર્વત ફાટતે હોયના! એવા થવા લાગ્યા. હાથીઓ જેમ દંતુશળથી પરસ્પર લઢે છે તેમ તે કિરાત અને કિરીટ લઢવા લાગ્યા, USી અને તેઓ એટલા બધા ઉદ્ધત થઈ યુદ્ધ કરવા લાગ્યા કે મચારી દેવતાઓ પણ પોતાના વિ- ૯ માનમાં બેઠા છતાં તે આસન ઉપરથી ઉઠી નીચાં મોઢાં કરી આતુરતાએ જોવા લાગ્યા. અને લાગ જોઈ તેને પગમાંથી ઝાલીને લીલાએ કરી માથા ઉપર ફેરવી જેવો એક શિલા ઉપર પટકવા જાય છે એટલામાં તે ભિક્ષને તો દિવ્યરૂપ ધારણ કરી પોતાની સન્મુખ ઉભેલો અને દી. તે ૫ સમયે અર્જુન મહા વિસ્મય પામી મનમાં વિચારવા લાગ્યું કે આ ઇદ જાળની વિદ્યા જેવું શું? છે અર્જુનને વિસ્મય પામેલ જોઈ તે ભિલ કતાંજલિ કરી બોલ્યો. છે ભિલ–હે અર્જુન, તારું પુરૂષાર્થ જેવા મેં આ સર્વે માયા રચી હતી. તારા પરાક્રમે કરી . હું હમણાં સંતુષ્ટ થયો છું માટે તારે જે માગવું હોય તે માગ, સંપૂર્ણ વિદ્યાએ હું પરિપૂર્ણ છું, (SA Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy