SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વાસનું, જવાને ઉઠતાં છઠ્ઠ તપનું, માર્ગે ચાલતાં અઠ્ઠમ તપનું, જિનગૃહ પાસે ચાર ઉપવાસનું, ચૈત્યમાં આવે ત્યારે પાંચ ઉપવાસનું, ચેત્યની મધ્યમાં આવતાં પંદર ઉપવાસનું, અને જિનેશ્વરનાં દર્શન કરતાં માપવાસનું ફળ મળે છે. દેવદર્શન પૂજા આદિ કર્યા પછી બહાર આવે. પછી દેરાસરના નેકર, ચાકર, નામાં લેખાદિની તપાસ કરે અને યાચિત સુધારણા કરે. દરેક પ્રકારની આશાતના ટાળે અને દેવદ્રવ્ય તથા સાધારણ દ્રવ્યની સારી વ્યવસ્થા કરે. વ્યાખ્યાનવાણું લક્ષપૂર્વક શ્રવણ કરે, હૃદયમાં તેના રહસ્યનું ચિંતવન કરે, ગુરૂના અભાવે સામાયિક સમભાવે કરતાં થકા પોતે સ્વાધ્યાય કરે અને કરાવે. એ પ્રમાણે સવારની ધર્મકરણમાંથી નિવૃત્ત થઈ ગૃહતંત્ર ચલાવવાના ઉદ્યમને વિચાર કરે. પ્રથમ પ્રહર વીત્યા પછી અને દ્વિતીય પ્રહર વીત્યા પહેલાં શાંતિથી શુદ્ધ ભજન કરે. સાધુ મુનિરાજ હેય તે તેમને વહેરાવે તેમજ ગુરૂને સુખશાતા પૂછી તેમની શુશ્રષા કરે. પછી વ્યાપારી હોય તો બજારમાં પોતાના વ્યાપારમાંથી દ્રવ્યઉપાર્જનને વિચાર કરે અને રાજ્યની કે બીજી કરી હોય તે તેઓ રાજ્યસભામાં કે પોતાના કામ ઉપર જાય. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ સાચવવાનું લક્ષ રાખવું, કારણ કે તેથી વ્યાપારની વૃદ્ધિ થાય છે અને ધર્મને બાધ આવતું નથી. આજીવિકા ચલાવવાના સાત પ્રકાર છે. (૧) વ્યાપાર (૨) વિદ્યા (૩) ખેતી (૪) પશુપાળ (૫) હુન્નર કળા (૬) કરી અને (૭) ભિક્ષા માગવી. આ સાતેમાં વ્યાપાર સર્વથી શ્રેષ્ઠ છે. લક્ષમી વ્યાપારમાં જ વસે છે. નોકરી કરવી તે પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy