SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | સંકલના જa#ણી સમ્મતિતર્ક પ્રકરણ પ્રથમ કાંડના ( સંકલનની વેળાએ.... પ્રસ્તુત ગ્રંથનું નામ જ તેના ગુણને દર્શાવે છે; કેમ કે જીવમાં અનાદિ કાળથી વર્તતી દુર્મતિને તર્કો દ્વારા દૂર કરીને સમ્મતિ પ્રગટ કરાવે તેવા તર્કોથી યુક્ત પ્રસ્તુત ગ્રંથ છે. શ્રુતકેવલી’, ‘મહાવાદી', “મહાતાર્કિક', “કવિવર' પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત “સમ્મતિતર્ક પ્રકરણ” અને “તર્કપંચાનન' પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચાયેલ ‘તત્ત્વબોધવિધાયિની' નામની વૃત્તિ અંતર્ગત શ્લોકસ્પર્શી વિભાગનું વિવેચન અત્રે પૂ. પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા દ્વારા કરવામાં આવેલ છે, જેના સંકલનકાર્યમાં મારો યત્ન સાગરમાં કાગળની નાવ મૂકવા સમાન છે. શ્રી મયંકભાઈ દ્વારા તૈયાર થયેલ લખાણમાં આગળનું કાર્ય કરવા મને પૂ. સાધ્વીજી ભગવંત શ્રી ચંદનબાળાશ્રીજીએ પ્રેરણા કરી હતી, જે આજે પૂર્ણ કરી શકી છું, માટે તેઓશ્રીની આભારી છું. તીર્થંકર પરમાત્માએ પોતાના કેવલજ્ઞાનથી ઇન્દ્રિયગ્રાહ્ય બાહ્ય પદાર્થોનું અને અતીન્દ્રિય એવા પદાર્થોનું સ્વરૂપ જે રીતે સૂક્ષ્મ અને સ્પષ્ટ જોયું છે અને જાણ્યું છે તેને જ બતાવનારા સાત યોનું વિસ્તારથી વર્ણન પ્રસ્તુત ગ્રંથના પ્રથમ કાંડમાં ગ્રંથકારશ્રીએ કર્યું છે. સૌ પ્રથમ જિનેશ્વર દેવ અને તેઓ દ્વારા પ્રરૂપિત શાસ્ત્રની સ્તવના કરી છે. “ગંભીર અર્થવાળા આગમોના સારને મંદ બુદ્ધિવાળા જીવો પણ ગ્રહણ કરી શકે તે રીતે અર્થને કહીશ' એ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથના પ્રથમ કાંડના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરી છે અને ગ્રંથના અંત સુધી તે પ્રમાણે જ શાસ્ત્રના પરમાર્થને પ્રકાશિત કરેલ છે. દ્રવ્યાનુયોગના ગહન વિષયને પ્રાકૃત ભાષામાં અને સરળ શૈલીમાં રચવાથી બાલજીવોને પ્રસ્તુત ગ્રંથ આગમના અધ્યયન માટે પ્રવેશદ્વાર સમાન ભાસે છે. પ્રસ્તુત પ્રથમ કાંડમાં સૌ પ્રથમ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારબાદ જગતમાં દેખાતા બાહ્ય પદાર્થોના સ્વરૂપને જાણવા માટે જિનશાસનમાં જે સાત નો પ્રવર્તે છે તે સર્વનો સમાવેશ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયમાં થઈ જાય છે તેમ સ્થાપન કરેલ છે. વળી, મુખ્ય નયો અને તેના આધાર પર રહેલા અન્ય નયો પણ જો નિરપેક્ષ હોય તો તે નષોથી સંસારનું સ્વરૂપ, સુખ-દુઃખ, કર્મબંધ કે મોક્ષ કાંઈ ઘટી ન શકે તે વાતને તર્કબદ્ધ બતાવી છે. ત્યારબાદ રત્નાવલીના દૃષ્ટાંતથી સર્વ નો મિથ્યારૂપ કે સમ્યકરૂપ કઈ રીતે બને છે ? તે બતાવીને તે દૃષ્ટાંતનું મહત્ત્વ અને તેનાથી શો લાભ પ્રાપ્ત થાય છે ? તેની સ્પષ્ટતા કરી છે. વળી, કાર્યકારણભાવ પ્રત્યે પ્રવર્તતા સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ અને કાર્યકારણનો અભેદ માનતા અદ્વૈતવાદ કઈ રીતે સમ્યગ્વાદ બને છે? તેનું સ્થાપન કરેલ છે. ત્યારપછી દ્રવ્યાસ્તિકનય અને પર્યાયસ્તિકનયના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy