SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૮ ૧૪૭ વિવક્ષાના વશથી, અહીં પાંચમા ભાંગામાં, પ્રથમ એવા કેવલ અસ્તિત્વના ભાંગાનો અને તૃતીય એવા કેવલ અવક્તવ્ય ભાંગાનો ચુદાસ કરાયેલો જાણવો; કેમ કે ત્યાં=પ્રથમ અને ત્રીજા ભાંગામાં, પરસ્પર અવિશેષભૂત એવા પ્રથમ અને ત્રીજા ભાંગાનું પ્રતિપાદ્યપણાથી બોધ કરવા માટે ઈષ્ટપણું છે. પ્રતિપાદક વડે પણ તે પ્રમાણે જ વિવક્ષિતપણું છે. વળી અહીં પાંચમા ભાંગામાં, તેના વિપર્યયથી=પરસ્પર અવિશેષણભૂત એવા અસ્તિત્વ અને અવક્તવ્યના વિપર્યય એવા પરસ્પર વિશેષણભૂત અસ્તિત્વ અને અવક્તવ્યથી, (બોધ કરવો ઈષ્ટપણું છે); કેમ કે અનંત ધર્માત્મક એવા ધર્મીનું પ્રતિપાધના અનુરોધથી તેવા પ્રકારના ધર્મના આક્રાંતપણાથી=દેશને ગ્રહણ કરીને પ્રધાનરૂપે અસ્તિત્વ અને અવક્તવ્ય ધર્મના આક્રાંતપણાથી, કહેવા માટે ઈષ્ટપણું છે. આ રીતે પાંચમા ભાંગાનું સ્વરૂપ બતાવ્યા પછી ગાથાના ઉત્તરાર્ધથી તે ભાંગો કેવો પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – તે દ્રવ્ય અસ્તિ અને અવક્તવ્ય થાય છે. કેમ અસ્તિ અને અવક્તવ્ય થાય છે ? તેથી કહે છે – તદ્ ધર્મના વિકલ્પતતા વશથી એક દેશમાં અસ્તિત્વ ધર્મ અને અન્ય દેશમાં અવક્તવ્ય ધર્મના વિકલ્પતતા વશથી, અસ્તિત્વ અને અવક્તવ્ય તે દ્રવ્ય થાય છે એમ અવય છે. કેમ ઘટરૂપ વસ્તુના ધર્મના વિકલ્પનના વશથી ઘટરૂપ દ્રવ્ય “અસ્તિ અને અવક્તવ્ય થાય છે ? તે સ્પષ્ટ કરે છે – તે પ્રકારના પરિણત એવા બે ધર્મોના=એક દેશમાં અસ્તિત્વરૂપે પરિણત અને અન્ય દેશમાં અવક્તવ્યરૂપે પરિણત એવા બે ધર્મોના, તે પ્રકારના વ્યપદેશમાં એક દેશને અસ્તિત્વરૂપે અને અન્ય દેશને અવક્તવ્યરૂપે વ્યપદેશમાં, તેના દ્વારા-તે બે ધર્મો દ્વારા, ધર્મી પણ ધર્મી એવો ઘટાદિ પણ, તે પ્રકારે જ વ્યપદેશ કરાય છે અસ્તિ અને અવક્તવ્યરૂપે વ્યપદેશ કરાય છે. ૧/૩૮ ભાવાર્થ : પાંચમા ભાંગાનો બોધ કરવા અર્થે કલ્પનાથી ઘટાદિ વસ્તુના બે વિભાગો કરવામાં આવે છે. ઘટના એક દેશમાં ઘટ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી છે એ પ્રકારની વિવક્ષાથી “ઘટ સ્યાદ્ અસ્તિ” એ પ્રકારનો આદેશ કરાય છે. આ આદેશ પણ અન્ય દેશમાં જે અવક્તવ્ય અંશ છે તેનાથી અનુવિદ્ધ સ્વભાવવાળા એવા તે ઘટના એક દેશમાં સ્યાદ્ અસ્તિત્વથી ઉપસ્થિત કરાય છે. જો અન્ય દેશમાં રહેલ અવક્તવ્યથી અનુવિદ્ધ સ્વભાવવાળા ઘટમાં અસ્તિત્વનો આદેશ કરવામાં ન આવે તો ઘટના અસ્તિત્વ દેશના અસત્ત્વનો પ્રસંગ પ્રાપ્ત થાય; કેમ કે ઘટમાં રહેલ અપર ધર્મ તેને ગ્રહણ કર્યા વગર વિવલિત એવો અસ્તિત્વ ધર્મ પણ ઘટમાં સંભવતો નથી. જેમ ખરવિષાણાદિ જગતમાં નથી તેમ અવક્તવ્ય ધર્મથી અનુવિદ્ધ સ્વભાવ વગરનો તે ઘટનો અસ્તિત્વવાળો દેશ પણ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy