SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ ૧૩૭ આદિરૂપ વસ્તુમાં જ, એકાંત-અનેકાંતાત્મક ભાવાભાવ વિષયરૂપ અંશને પ્રતિપાદન કરતા વિવેક્ષાથી સુનય, દુર્નય અને પ્રમાણરૂપતાને પ્રતિપાદન કરવા માટે અને તત્પતિપાદક વચનનો જે પ્રમાણે અનુભવ થાય છે તે પ્રમાણે વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ - દરેક પદાર્થો કથંચિત્ સર્વાત્મક છે એમ ગાથા-૩૧ની ટીકામાં કહ્યું. તેનાથી એ ફલિત થયું કે દરેક વસ્તુ ભેદાભદાત્મક છે. તે દરેક વસ્તુમાં ભેદાભદાત્મક સ્વરૂપ પરસ્પર આક્રાંત છે; કેમ કે વસ્તુના એક દેશમાં ભેદ છે અને અન્ય દેશમાં અભેદ છે એમ નથી, પરંતુ વસ્તુ કોઈક સ્વરૂપે અન્યથી ભિન્ન છે અને કોઈક સ્વરૂપે અન્યસદશ હોવાથી અભિન્ન છે. માટે વસ્તુમાં રહેલ ભેદભેદ પરસ્પર આક્રાન્ત છે. પરસ્પર આક્રાન્ત ભેદાભદાત્મક વસ્તુ કથંચિ સત્ત્વ છે અને કથંચિત્ અસત્ત્વ છે અર્થાત્ તે વસ્તુ કોઈક સ્વરૂપે વર્તમાનમાં વિદ્યમાન છે માટે તેનું સત્ત્વ છે, અન્ય સ્વરૂપે વિદ્યમાન નથી માટે અસત્ત્વ છે. આ પ્રમાણે કહીને તે વસ્તુના અભિધાયક એવા વચનરૂપ પુરુષના પણ કથંચિત્ સત્ત્વ-અસત્ત્વના અભિધાન દ્વારા સમ્યગ્વાદિત્વ અને મિથ્યાવાદિત્વનું પ્રતિપાદન પૂર્વમાં કરેલ છે. અર્થાત્ તે બોલનાર જીવ પુરુષને એકાંતે પુરુષરૂપ સ્વીકારે તો મિથ્યાવાદી છે અને કથંચિત્ પુરુષરૂપ અને કથંચિત્ બાલ આદિ રૂપ સ્વીકારે તો સમ્યગ્વાદી છે. આ પ્રમાણે પ્રતિપાદન કરીને હવે પુરુષ આદિરૂપ વસ્તુમાં જ કથંચિત્ ભાવ અને કથંચિદ્ અભાવ વિષયરૂપ અંશને એકાંત-અનેકાંતાત્મક પ્રતિપાદન કરતા વિવફા વડે સુનય, દુર્નય અને પ્રમાણરૂપ બને છે અર્થાત્ ભાવાભાવાત્મક વિષય વસ્તુને એકાંત ભાવાત્મક કે એકાંત અભાવાત્મક માને તો દુર્નય બને. કથંચિ ભાવાત્મક કે કથંચિત્ અભાવાત્મક કહે તો સુનય બને. ભાવ અને અભાવ ઉભયને પ્રધાન કરીને પદાર્થ અનેકાંતાત્મક છે તેમ સ્થાપન કરે તો પ્રમાણ બને. તે બતાવવા માટે ભાવાભાવાત્મક વસ્તુના પ્રતિપાદક વચનનો જે પ્રમાણે અનુભવ થાય છે તે પ્રમાણે વિસ્તારથી ભાવાભાવાત્મક પદાર્થને કહેનારા વચનને બતાવવા માટે કહે છે – અન્ય પ્રકારે અવતરણિકા - ___ यद्वा यथैव तद् वस्तु व्यवस्थितं तथैव वचनात् प्रतिपादयतो वक्तुनिपुणत्वं भवति अन्यथा साङ्ख्य-बौद्ध-कणभुजामिव अभिन्नभिन्नपरस्परनिरपेक्षोभयवस्तुस्वरूपाभिधायिनाम् अर्हन्मतानुसारिणामपि स्यादस्ति' इत्यादिसप्तविकल्परूपतामनापन्नवचनं वक्तृणां स्यात्कारपदाऽलाञ्छितवस्तुधर्म प्रतिपादयतामनिपुणता भवेदिति प्रपञ्चतः सप्तविकल्पोत्थाननिमित्तमुपदर्शयितुं गाथासमूहमाह - અવતરણિતાર્થ - અથવા જે પ્રમાણે જ તે વસ્તુ વ્યવસ્થિત છે તે પ્રકારના જ વચનથી પ્રતિપાદન કરનારા વક્તાનું નિપુણપણું થાય છે. અન્યથા વક્તા તે પ્રકારે પ્રતિપાદન ન કરે તો, અભિન્ન, ભિન્ન કે પરસ્પર નિરપેક્ષ ઉભયરૂપ વસ્તુના સ્વરૂપને કહેનારા સાંખ્યદર્શનકાર, બૌદ્ધદર્શનકાર, તૈયાયિકની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy