SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ કામ થઈ શક્યું. જો કે મારી ભાવના અને હું જે વિચારતા હતા તેવા રૂપે અને સ્વરૂપે બધું નથી થઈ શકતુ. પરંતુ જે કાંઇ અને જેવાં સ્વરૂપે પણ થઈ શકયું છે તે પણ ખૂબ જ સારું અને ઉપયોગી થયુ છે. આવે ગ્રંથ સંસ્કૃત ભાષામાં નીકળવા જોઈએ. જૈન પત્ર માટે ખેલતાં પૂજ્યશ્રીએ કહ્યું કે સમાજમાં જીવતું અને જાગતુ આ એક ૪ પત્ર છે. પત્ર એ સમાજના અવાજ છે, જાહેર જીવનની પારાશીશી છે. તે સમાજના પ્રસંગાના પડદો પાડનાર છે. જૈન પત્રે સત્ય અને શાસનને નજર સમક્ષ રાખી ઘણી વખત કડવી વાત પણ લખી છે. - આજે જૈન પત્રની આર્થિક સ્થિતિ નબળી છે. આ હાલતમાં પણ ભાઈ મહેન્દ્રએ ભારે હિંમત કરીને આ અતિ ખર્ચાળ એવા વિશેષાંક અનેકના સાથ સહકાર મેળવીને કાઢયા છે. D વાત આ પ્રસંગે ગુલાબચદભાઈ, મહેન્દ્રના ધમમાતા સમરથબેન, તેમના સુપુત્રા નવીનભાઈ, વિનેાદ ભાઇ સા હાજર થયા છે. તેમના માટે આ સુવણ' પ્રસંગ છે. આ વિશેષાંકની જ કરું તેા તેની પાછળ ઘણી મહેનત લેવાઈ છે, અને એમ કરવા જતાં જૈન પત્ર ઘણા મોટા આર્થિક બોજા હેઠળ આવી ગયું છે. આ માટી જવાબદારી અમારા માથે છે. આ જવાબદારી પાર ૪૩ Jain Educationa International પાડવામાં સમાજ મન મૂકીને ઉદારતાથી સહકાર આપે એવી હું સૌને અપીલ કરુ છું. માહિતી વિશેષાંકના પ્રણેતા પૂજ્યપાદ યુગદિવાકર આચાય ભગવંત શ્રી વિજયધમસૂરિજી મહારાજે પેતાના ભાવસભર પ્રવચનમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી મહાવીર પ્રભુના ૨૫૦૦મા નિર્વાણુકલ્યાણક વર્ષના પરિણામે દુનિયાભરના લે।ક। તેમના અહિંસા, અનેકાંત, અપ રિગ્રહના સિદ્ધાંતા વિચારતા થયા છે. અહિંસા માટે. તેના પ્રચાર માટે એક વિદેશીએ રૂા. એક કરાડનું ટ્રસ્ટ પણ બનાવ્યું. આ એક જૈનધમના આદર્શો અને સિદ્ધાંતાની સિદ્ધિ છે. આ વરસમાં અહિંસાના પ્રચારના ઘણાં કામે થયાં. આ બધાની માહિતી આપતા આજે આ વિશેષાંક પ્રકટ થયે છે. આ અંક તૈયાર કરવામાં અમારા યશેવિજયજીએ મહેન્દ્રને ઘણે! સાથ આપ્યું. હિંમત હારી જવાના સમયે તેમણે તેની પીઠ થાબડી અને તેના ઉત્સાહ ટકાવી રાખ્યા. આ કાય માટે અમારા પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ હતા જ, પણ યશેવિજયજીએ તે આ કામને સફળ બનાવવામાં ઠેઠ સુધી રસ લીધા. વિશેષાંકની કાગળની માટી જવાબદારી પણ તેમણે જ ઉપાડી અને વિશેષાંક વધુ સારો અને તે માટે ફોટા વગેરે સામગ્રી પણ આપી. Cari 49v3 For Personal and Private Use Only મહેન્દ્રે પણ વિશેષાંકનુ‘ કામ પૂરું કરવા ખૂબ જ દોડધામ કરી, નાની ઉંમરમાં તેણે સાચે જ આ એક મેટું સાહસ કર્યુ" છે. પૂજ્ય ગુરુ મહારાજની કૃપાથી તેમજ ચશે.વિજયજીના અને બીજા અનેકના પુરુષાથથી આ વિશેષાંકનુ કામ સફળ થયું છે. છતાંય તેની આર્થિક જવાબદારી હજી અમારા માથે છે. આ જવાબદારી પૂરી કરવા માટે તમારા સૌના સાથની જરૂર છે. પૂજ્ય આચાય શ્રીના આશી વંદુ પ્રવચન બાદ જાણીતા વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયાએ પ્રાસગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે જૈન પત્રને હું નિયમિત વાચક છું. અત્યારના કપરા સમયમાં પણ તેણે પોતાની નિયમિતતા જાળવી માટે તેના સંચાલક અને સ ંપાદકને ધન્યવાદ ઘટે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજ વ્યક્તિગત પત્ર ચલાવવું અને તેને નિયમિતપણે વરસો સુધી ટકાવી રાખવું એ ખરેખર દુષ્કર કાય' છે. અને મુશ્કેલીએ વચ્ચે આજે જૈન ટકી રહ્યું છે. અને આજ તેણે દસ્તાવેજી જેવા માહિતી વિશેષાંક પણ પ્રકટ કર્યાં છે. મુંબઇના શ્રીમ ંતો અને જૈનાની ફરજ તેને આર્થિક રીતે પગભર કરવા પૂરેપૂરો સહકાર આપે. ત્યાર બાદ ‘જૈન’ના તંત્રી શ્રી ગુલાબચ ંદભાઇ દેવચંદ શેઠનું વિવિધ ઉપહારપૂર્વક જાહે સન્માન કવામાં આવ્યું હતું. www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy