SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શુનું ઉદ્દઘાટન કર્યું. ડો. ડી. એસ. કે ઠારીની અધ્યક્ષતામાં આ સમારંભ યે જાયે. - લુધિયાણું : અહીંથી ૩૫ કિલોમીટર દૂર માંસીવાડા ખાતે ભગવાન મહાવીર હોલને શિલાન્યાસ પંજાબના વધુ ઉદ્યોગખાતાના નાયબ પ્રધાન શ્રી ખુશહાલ બહલના હાથે કરવામાં આવ્યા હતું. આ માટે પ્રધાનશ્રીએ પિતાના ભંડળમાંથી રૂા.૩૧૦૦નું દાન જાહેર કર્યું હતું. કરિયાવર લીધા વિના લગ્ન કરવાની પ્રતિજ્ઞા રાયકેટ : મહાસતી શ્રી કૈલાસવતીજી અને ઓમપ્રભાની નિશ્રામાં મહાવીર જયંતી ઉજવાઈ ૨૭મીએ શ્રી શીતલપ્રકાશજીએ ભગવાનની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે મહાવીર જૈન મંડળના સભ્ય શ્રી નરેશકુમારના પુત્ર શ્રી મુનિલાલ લોઢાએ કરિયાવર લીધા વિના લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી. મંડળે શરાબ અને જુગારની બદીને ભૂરા પરિણામો બતાવતી રચના કરી અને ચન્દનબાળાનું નાટક ભજવ્યું. ફરીદકોટ, ખરડ, અમૃતસર, પંચકુલામાં પણ વિવિધ કાર્યક્રમો થયા. નિડાલહવાલા : જૈનવિભૂષણ શ્રી પદ્મચન્દ્રજી મહારાજ અને શ્રી અમરમુનિની નિશ્રામાં નિર્વાણ મહોત્સવ પ્રસંગે યોજાયેલ સમારંભમાં ૨૫ વ્યક્તિઓએ દારૂ અને માંસ ત્યાગની પ્રતિજ્ઞા લીધી. શ્રી મહાવીર જૈન સંઘ તરફથી શ્રી મુરલીધર જૈન અને શ્રી વિમલ પ્રકાશ જનનું “મહાવીર ચંદ્રક' આપીને સન્માન કરાયું. લુધિયાણા જિલ્લાના સૌથી મોટા અને વિશાળ એવા ફિરોજપુર રેડને “ભગવાન મહાવીર માર્ગ'નું નામ આપવાને સમારોહ ૧૬ ઓકટોબર '૭૫ના રાજકિય સ્તરે ઉજવાય. અતિથિ વિશેષ શ્રી જોગેન્દ્રપાલ પાન્ડેએ આ મહામાર્ગનું ઉદ્દઘાટન કર્યું. નૌહરિયાલ જૈન મીડલ સ્કુલના પ્રાંગણમાં “ભગવાન મહાવીર માર્ગ"ની ખુશાલીમાં સમારંભ થયે. તેમાં પૂજ્ય જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસરિજી, આચાર્ય શ્રી ઇન્દ્રદિસરિઝ, પંજાબ પ્રવર્તક શ્રી કુલચન્દજી “શ્રમ” મહારાજ, મહાસતી શ્રી સિકુંવરજીએ મંગળ શુભકામનાઓ વ્યક્ત કરી. આ પ્રસંગે ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાયો, શ્રી આત્માનંદ જૈન મહાસમા (ઉત્તરી ભારત)ના મહામંત્રી શ્રી બલદેવરાજે સભાનું સંચાલન કર્યું. પતિયાલા : પંજાબી વિશ્વવિદ્યાલયના ધાર્મિક અધ્યયન વિભાગ તરફથી ભગવાન મહાવીર સેમીનાર યોજાયે. સેમીનારના અધ્યક્ષ કુલપતિ શ્રી મહેન્દ્ર મોહન ચૌધરીએ આ પ્રસંગે જૈન ગ્રંથ અને ભગવાનના ચિત્રના મહાવીર કક્ષનું ઉદ્દઘાટન કર્યું. મહાવીર ફાઉન્ડેશને વિશ્વવિદ્યાલયની આર્ટ ગેલેરીમાં મૂકવા માટે ભગવાનનું ભવ્ય તૈલચિત્ર ભેટ આપ્યું. આ ઉપરાંત મહાવીર કક્ષ માટે ૧૦૦ મુદ્રિત અને હસ્તલિખિત ગ્રન્થો પણ ભેટ અપાયા. અત્રેની યુનિવર્સિટીમાં જૈન સંસ્કૃતિના ઉચ્ચ કક્ષાના અધ્યયન સંશોધન માટે “જૈન ચેરની સ્થાપના થઈ છે. રસ ની હોના લુધિયાણામાં નીકળેલ રથયાત્રાની લાક્ષણિક તરવરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy