SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ માવજત માટેની આટલી સજાગતા સદીઓ પૂર્વે મહાવીરે બતાવી હતી. મહાવીર જ્યાતિષી હતા? અઢી હાજર વર્ષ પૂર્વે તેમણે કરેલી તમામ આગાહીઓ આજે સાચી પડી રહી છે. તેમણે એક આગાહી એવી કરી હતી કે સાચા સાધુઓ ઉપેક્ષા પામશે અને કસાધુઓ જાહોજલાલી ભોગવશે ! મહાવીર સાધક હતા? પળનો ય પ્રમાદ નહિ કરવાનો ઉપદેશ તેમણે પોતાના શિષ્ય ગણધર ગૌતમને આપ્યો હતો. શિષ્ય ગૌતમે પ્રતિપ્રશ્ન કરેલો, પ્રભુ, આટલા મોટા જીવનમાં એક પળની શી વિસાત ? માત્ર એક પળનો પ્રમાદ આત્માનું શું અહિત કરી શકે? મહાવીરે કહ્યું, “એક પળમાં અંધકાર થઈ શકે છે અને માત્ર એક જ પળમાં અજવાળું પણ થઈ શકે છે !' મહાવીર અર્થશાસ્ત્રી હતા? તેમણે કહ્યું કે પરિગ્રહ (અર્થસંગ્રહ) ધર્મના માર્ગનો સૌથી મોટો અવરોધ છે. મુનિચર્યા માટે તો તેમણે અર્થનો-ધનનો સર્વથા ત્યાગ પ્રબોધ્યો અને શ્રાવક (ગૃહ) ધર્મમાં પણ અર્થસંગ્રહ ઉપર નિયંત્રણ આવશ્યક ગણાવ્યું. મહાવીર જ્ઞાની હતા ? એક વખતે એમને પૂછવામાં આવ્યું કે પ્રભુ, આપણે અજાણતાં કોઈ પાપકર્મ આચર્યું હોય તો એની સજા ભોગવવી પડે ?” મહાવીરે જવાબ આપેલો, “કોઈ વ્યક્તિ અજાણતાં વિષપાન કરી લે તો એનું મૃત્યુ થાય કે નહિ ?' મહાવીરને પામવામાં આપણે ક્યાં પાછા પડ્યા છીએ તે વિચારવાની જરૂર છે. તેમની બહુમુખી પ્રતિભાને આપણે સંકુચિત ખ્યાલોમાં કેદ કરીએ તો આખરે એ આપણા જ માટે ખોટનો ધંધો છે. ચારિત્ર્યની સુગંધને સગા કાને સાંભળવી હોય તો દિલમાં મહાવીરની વાણી સાંભળવાની તીવ્ર ગરજ પેદા થવી અનિવાર્ય છે. તીર્થકર મહાવીર અને ભગવાન કૃષ્ણ બન્નેનો સમય અલગ અલગ હોવા છતાં તે બન્નેના જીવનની ઘટનાઓમાં ઘણું બધું સામ્ય જોવા મળે છે. તીર્થંકર મહાવીરે પોતાના જમણા પગના અંગૂઠા વડે મેરુ પર્વતને ડોલાવ્યો હતો તો ભગવાન કૃષ્ણ પોતાની ટચલી આંગળી દ્વારા ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. તીર્થકર મહાવીરે દષ્ટિ વિષધારી વિકરાળ સર્પ ચંડકૌશિકને ઉગાર્યો હતો, તો ભગવાન કૃષ્ણ કાલિંદી (યમુના) નદીમાં રહેતા કાલીનાગને નાથ્યો હતો. તીર્થકર મહાવીરે ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો, તો ભગવાન કૃષ્ણ કુબ્બાનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy